લોકસભા ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા શામજી ચૌહાણે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. સાંજ શામજી ચૌહાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ટિકિટ ન મળતા સામજી ચૌહાણ નારાજ હતા. શામજી ચૌહાણ આક્ષેપ કરી ચૂક્યા છે કે મને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટિકિટ અપાવવાનું વચન આપ્યું હતું.
ભાજપમાંથી થોડા મહિના પહેલા કોંગ્રેસમાં આવેલા ચોટીલાના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લોકસભાની ટીકીટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાને ટીકીટ આપવામા નહીં આવતા શામજીભાઇ ચૌહાણમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
1200 કાર્યકર્તાઓ સાથે પૂર્વ ધારાસભ્યએ શામજી ચૌહાણે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે 1200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. વઢવાણ ખાતે સંમેલન યોજી કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું.
શામજી ચૌહાણે આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મને ટિકિટ આપવાનો વાયદો કર્યો છે. પરંતું ટિકિટ ન આપી મારી સાથે ગદ્દારી કરી છે. તો આ સાથે જ શામજી ચૌહાણના બોલવાના પણ સૂર ફરી ગયા. હવે કોંગ્રસ સામે જ બાંયો ચઢાવી છે. શામજી ચૌહાણે દાવો કર્યો છે કે, સમાજ કહેશે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ અને કોંગ્રેસને હરાવવા માટે પ્રયત્નો કરીશું. જો કે ભાજપ સાથે જોડાવવા અંગે પુછતા કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પરંતુ તેઓ હવે ફરી ભાજપમાં જોડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શામજીભાઇ ચૌહાણ અપક્ષ, ભાજપ, શીવસેના અને કોગ્રેસમાંથી ચૂંટણી લડી ચુક્યા છે ત્યારે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી. પરંતુ અંતે તેમણે કેસરિયા કર્યા છે.