ચૂંટણી / વિવાદીત નિવેદન બાદ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની સ્પષ્ટતા

Congress leader Sam Pitroda clarified after the controversial statement

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ શીખ રમખાણોને સવાલને લઇ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. પીએમ મોદી દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર શીખ રમખાણને લઇને નિશાન સાધવમાં આવ્યું તેના જવાબમાં પિત્રોડાએ કહ્યું હતું કે, હવે શું છે 84નું તમે શું કર્યું 5 વર્ષ તેની વાત કરો. 84માં જે થયું તે, તમે શું કર્યું. ત્યારે પિત્રોડાના આ નિવેદનને લઇ ભારે વિવાદ થયો અને ભાજપે સામ પિત્રોડા પર એકબાદ એક પ્રહાર કર્યા. જો કે બાદમાં વિવાદ વધતા સામ પિત્રોડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારો કહેવાનો મતલબ એ હતો કે, તમે 5 વર્ષમાં શું કર્યું એ વિશે વાત કરો. પીએમ મોદી સમસ્યા પર ધ્યાન આપે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ