કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ શીખ રમખાણોને સવાલને લઇ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. પીએમ મોદી દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર શીખ રમખાણને લઇને નિશાન સાધવમાં આવ્યું તેના જવાબમાં પિત્રોડાએ કહ્યું હતું કે, હવે શું છે 84નું તમે શું કર્યું 5 વર્ષ તેની વાત કરો. 84માં જે થયું તે, તમે શું કર્યું. ત્યારે પિત્રોડાના આ નિવેદનને લઇ ભારે વિવાદ થયો અને ભાજપે સામ પિત્રોડા પર એકબાદ એક પ્રહાર કર્યા. જો કે બાદમાં વિવાદ વધતા સામ પિત્રોડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારો કહેવાનો મતલબ એ હતો કે, તમે 5 વર્ષમાં શું કર્યું એ વિશે વાત કરો. પીએમ મોદી સમસ્યા પર ધ્યાન આપે.
વિવાદ વધતા સામ પિત્રોડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સૌથી પહેલા તો એ વાત ખોટી છે, મારો કહેવાનો મતલબ એ હતો કે તમે 5 વર્ષમાં શું કર્યુ ? હું ઇચ્છું છું કે, PM મોદી સમસ્યા પર ધ્યાન દે. નહીં કે અન્ય બાબતો પર. હું PM મોદીને એ કહેવા માગુ છું કે, રાજીવ ગાંધીએ તેમનું જીવન દેશ માટે સમર્પિત કર્યુ છે. તેમની માતા ઇન્દિરા ગાંધીએ પણ દેશને જીવન સમર્પિત કર્યું છે. તેમની નિંદા તમે કેમ કરી શકો?
તેમણે માત્ર ટેકનોલોજીને નથી પ્રાધાન્ય આપ્યું. તેમણે જવાહર નવોદય જેવી શરૂઆત ખરી. તે ખુબ સરળ વિચાર હતો જેનો રાજીવ ગાંધીએ અમલ કર્યો. એ વિચાર શું હતો, દરેક જિલ્લામાં શિક્ષણની વ્યવસ્થા કરી. જેથી કરીને ગરીબથી ગરીબ બાળકોને શિક્ષણ મળે. તે IPS, IAS બને IIM છે. IITમાં અભ્યાસ કરે. કેમ કે તેમને તકસ મળે. મને એ કહેતા આનંદ થાય છે કે, આજે દેશના મોટા ભાગના શહેરોમાં જવાહર નવોદયની વ્યવસ્થા છે. અને હજારો લોકોને તેનો લાભ મળી રહ્યો છે. આ પ્રકારનું યોગદાન રહ્યું છે. મોદી તે વિશે વાત કરે. નહીં કે આમ ન કર્યુ, કે આ ન થયું.
અત્યારે તમે કેવી મૂર્ખતા ભરી વાતો કરી રહ્યાં છો. તમે એ વિશે વાત કરો કે તમે શું કરવા માગો છો. શું તમે લાખો લોકોને રોજગારી આપી શક્યા? ના તમે કશું ન આપ્યું? તમે 100 સ્માર્ટ શહેર બનાવી શક્યા? મે તો એક પણ નથી જોયું. હવે તમે મુદ્દાને ભટકાવી રહ્યાં છો. તમે એ કહો જે તમે કર્યુ છે. તમે 5 વર્ષમાં શું કર્યુ તે કહો. એ મેસેજ હતો