એક પ્રશ્નનાં જવાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમારા મગજમાં જે રાહુલ ગાંધી છે તેને મેં મારી નાખ્યો છે. તે મારા મગજમાં જ નથી, તે જતો રહ્યો છે.
રાહુલ ગાંધીએ પોતાની ઈમેજ પર કરી વાત
મને ઈમેજની કોઈ પરવા નથી- રાહુલ ગાંધી
કહ્યું, મારી જે ઈમેજ રાખવા ઈચ્છતા હો તે રાખો
ભારત જોડો યાત્રામાં નિકળેલ રાહુલ ગાંધીએ પોતાની ઈમેજ બદલવાનાં પ્રશ્નને લઈને કહ્યું કે એ ચક્કરમાં નથી પડતો હું. તેમણે કહ્યું કે જે રાહુલ ગાંધી તમારા મગજમાં છે તેને તો મેં મારી દીધેલ છે. તે મારા મગજમાં જ નથી, તે જતો રહ્યો છે. તમે જે માણસને જોઈ રહ્યાં છો તે રાહુલ ગાંધી છે જ નહી. તે માત્ર તમને દેખાઈ રહ્યો છે. તમને વિશ્વાસ નથી થઈ રહ્યો તો હિન્દૂ ધર્મને વાંચો, શિવજીને વાંચો.
મને ઈમેજની કોઈ પરવા નથી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે મને ઈમેજની કોઈ ચિંતા નથી. તમે મારી જે ઈમેજ રાખવા ઈચ્છતા હો તે રાખો. મને તેનાથી કોઈ તકલીફ નથી. મને તો પોતાનું કામ કરવું છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે મારી ઈમેજમાં કેટલો બદલાવ આવ્યો છે અને કેટલો નહીં તે તમારે નક્કી કરવાનું છે.
રાહુલ ગાંધીએ પોતાની ઈમેજ પર કરી વાત
તેમણે કહ્યું કે એ તો તમારે જ નક્કી કરવાનું છે કે હું કોણ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે એ તો તમારે જ જણાવવાનું છે કે શું બદલાવ આવ્યો છે અને શું નહીં. રાહુલ ગાંધીએ મીડિયાનાં પ્રશ્નોને લઈને કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા છે. ભાજપ અને RSSમાં તો લોકો આ રીતે બેસીને પ્રશ્નોનાં જવાબો આપતાં નથી. તેમણે કહ્યું કે હવે જે દેશમાં ચાલી રહ્યું છે તે રાજનૈતિક લડાઈ નથી પરંતુ દેશને બચાવવાનો સંઘર્ષ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે લડત છે તે વાસ્તવમાં રાજનૈતિક જંગ છે જ નહીં.
કોંગ્રેસની નિશાની પંજા પર કરી વાત
રાહુલ ગાંધીએ પાર્ટીનાં ચિહ્ન પર અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે આ સિંબોલ અભય મુદ્રા છે. તમે શિવાજી, નાનક, બુદ્ધ અને મહાવીરને જોશો તો બધાનો હાથ આવો જ દેખાશે, જેવો કોંગ્રેસનો સિમ્બોલ છે. આ અભયમુદ્રા છે અને અહીંથી કોંગ્રેસનો હાથ આવ્યો છે.