હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એકતરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ કેથલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા લીલારામે કાંટાની ટક્કર વચ્ચે રણદિપ સુરજેવાલને હરાવી દીધા છે. જો કે ચૂંટણી આયોગ તરફથી હજી સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
હરિયાણામાં કેટલાક દિગ્ગજ નેતાઓની થઇ હાર
કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાનો કેથર બેઠક પરથી પરાજય
જીંદ બેઠક પર 2014ની પેટાચૂંટણીમાં પણ થઇ હતી હાર
હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલને કેથલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરફથી હાર મળી છે.
રણદીપ સુરજેવાલને આ અગાઉ જીંદ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ હાર મળી હતી. રાજ્યના નાણા મંત્રી કેપ્ટન અભિમન્યુ નારનોદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા પણ હારી ગયા છે.
રણદીપ સુરજેવાલાની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે. મહત્વના મુદ્દાઓ પર રણદીપ સુરજેવાલા રાષ્ટ્રીય પ્રવક્તા બની પાર્ટીનો પક્ષ રાખતા જોવા મળે છે. 2014માં વિધાનસભા ચૂંટણીમાં સુરજેવાલા INLDના ઉમેદવારને 23,675 મતથી પરાજય આપ્યો હતો.
આ અગાઉ 2009માં વિધાનસભા ચૂંટમીમાં 22,502 મતથી જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે આ વર્ષે યોજાયેલ જાન્યુઆરીમાં જીંદ બેઠકની પેટાચૂંટણીમાં સુરજેવાલ ત્રીજા નંબર રહ્યાં હતા.