કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના PM મોદીની હત્યા કરી દેવાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે બાદમાં તેઓએ નિવેદનને ફેરવી તોળ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
PM મોદીની હત્યા કરવા અંગેના નિવેદનથી ગરમાવો
મારો અર્થ એવો ન હોતો : રાજા પટેરિયા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કથિત રીતે 'PM મોદીની હત્યા'ની વાત કરી રહ્યાં છે. જોકે, બાદમાં તેઓએ પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું. તેઓએ જણાવ્યું કે તેમનો અર્થ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાનો હતો. એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે આવું ફ્લોમાં નીકળી જતું હોય છે. જણાવી દઇએ કે, ભાજપના નેતાઓએ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.
રાજા પટેરિયાનો જે કથિત વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધિત કરી રહ્યો છે. તેઓ એવું કહેતા જણાય છે કે, મોદી ચૂંટણી ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ અને ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું જીવન ખતરામાં છે. આથી જો બંધારણ બચાવવું હશે તો મોદીની હત્યા કરવા તૈયાર રહો. જો કે, પાછળથી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર.
Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi - earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)
But now a death threat!
After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2
ચૂંટણીમાં હરાવવાનો અર્થ હતો : રાજા પટેરિયા
જોકે વીડિયો વાઈરલ થયા બાદ રાજા પટેરિયાએ ખાનગી ન્યુઝ ચેનલને કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માંગે છે. આ તો ફ્લોમાં થઇ ગયું. પરંતુ જે વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો તેને બસ આટલો જ ભાગ ઉપાડ્યો હતો. રાજાએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો અર્થ એવો ન હોતો. મારા નિવેદનને તોડીજોડીને રજૂ કરવામાં આવ્યું છે.
આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી: નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટરેયાના નિવેદન પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, પટેરિયાજીના નિવેદનો મે સાંભળ્યા, તેનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેઓએ કહ્યું કે ઈટાલીમાં કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીની છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર અને સુશાંત રાહુલ ચાલી રહ્યાં છે. મે SPને આ મામલે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની પણ સૂચના આપી છે.