ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. PM મોદી બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે.
રાહુલ ગાંધી આવશે ગુજરાતને પ્રવાસે
ગુજરાતની સ્થાપના દિવસે આવશે રાહુલ
દાહોદમાં સભા સંબોધશે
રાહુલ ગાંધી આવશે ગુજરાતને પ્રવાસે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે, ત્યારે અત્યાર થી જ વિવિધ રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. જેની વચ્ચે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના સ્થાપના દિન 1લી મેના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં સભા સંબોધશે.
રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રા શરૂઆત કરાવશે
રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની દાહોદથી શરૂઆત કરાવશે. 2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાશે. જે અંગે આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે બેઠક મળશે.
આવતીકાલે આદિવાસી અધિકાર યાત્રાના આયોજન માટે બેઠક મળશે
આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો સહિત અન્ય સમાજના ધારાસભ્યો પણ હાજર રહેશે. આ બેઠક ગુજરાત કૉંગ્રેના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળશે.