રાહુલ ગાંધીએ આજે ગુરુવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, અને ટ્વીટમાં કન્ટેન્ટ લખેલી એક ફોટો પણ શેર કરી હતી.
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
ભારતમાં હવે લોકતંત્ર નથી રહ્યું : કોંગ્રેસ નેતા
રાહુલ ગાંધીએ સ્વીડનની સંસ્થાનો રિપોર્ટ ટાંક્યો
આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દર્ભ ટાંકવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહ્યું.
નોંધનીય છે કે સ્વીડનની વી ડેમ ઇન્સ્ટિટ્યૂટે તેની રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતમાં હવે ચૂંટાયેલી અથવા ચૂંટવા જેવી લોકશાહી નથી રહી, ભારતને આપ રિપોર્ટમાં ઇલેક્ટોરલ ઓટોક્રસીના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ઓટોક્રસીનો મતલબ નિરંકુશ સત્તા જેવો થાય છે જે તાનાશાહીની સમાંતર હોય, આમ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને આ લિસ્ટમાં ઇલેકટોરલ ઓટોક્રસી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
This shows how badly GOI has failed to implement the Manual Scavenging Act of 2013.
Proactive measure must be taken to ensure no further indignity to our fellow citizens and our collective national conscience. pic.twitter.com/pgYiZ3nYDA
નોંધનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવાના સમયે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, પોતાના ટ્વીટમાં આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશનો અન્નદાતા પોતાના અધિકારની માંગણી કરી રહ્યો છે અને સરકાર તેના પર અત્યાચાર કરી રહી છે, વધુમાં તેમણે લખ્યું હતું કે દેશની સરહદ પર જેના બાળકો જીવ આપી રહયા છે તેમના માટે દિલ્હીની સરહદો પર ખિલ્લા ખોડવામાં આવી રહયા છે. અન્નદાતા માંગે અધિકાર, સરકાર કરે અત્યાચાર.
આ સિવાય પણ ગટર વગેરે સાફ કરતાં સફાઇ કામદાર લોકોમાં રાજ્યસભામાં સરકાર દ્વારા કહેવામાં આકંકડા અનુસાર ૨૦૧૫-૧૯ના સમયગાળા દરમિયાન સીવર સાફ કરતાં ૩૮૯ લોકોના મોત થયાનો આંકડો સરકારે સ્વીકાર્યો હતો જેને લઈને પણ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા હતા.