કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ઘણા એક્ટિવ જોવા મળી રહ્યાં છે. તેઓ ટ્વિટરના માધ્યમથી મોદી સરકાર પર સતત નિશાન તાકી રહ્યાં છે. તેઓ અન્ય મુદ્દાઓ પર પણ લોકો સાથે પોતાની વાત રાખી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા જ 'ધરોહર' (Dharohar) શ્રેણીનો 11મો એપિસોડ શેર કર્યો છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતાં કહ્યું કે, 'સ્વરાજ અને રાષ્ટ્રવાદનો સીધો સંબંધ અહિંસાથી છે. ભારતનું રાષ્ટ્રવાદ ક્યારેય ક્રૂરતા, હિંસા અને ધાર્મિક સંપ્રદાયનો સાથ આપી શકે નહીં. '
स्वराज और राष्ट्रवाद का सीधा संबंध अहिंसा से है। भारतीय राष्ट्रवाद कभी भी क्रूरता, हिंसा और धार्मिक संप्रदायवाद का साथ नहीं दे सकता।#DeshKiDharoharpic.twitter.com/SmY7LQNczW
રાહુલ ગાંધીએ આ પહેલા ખેડૂત બિલને લઇને સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું હતું, ખેડૂતોનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે શરૂઆતથી જ મોદી જી ની કથની અને કરનીમાં ફર્ક રહ્યો છે, નોટબંધી, ખોટું GST અને ડીઝલ પર ભારે ટેક્સ. જાગૃત ખેડૂત જાણે છે કે કૃષિ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે અને ખેડૂતોના રોજી-રોટી પર વાર કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે દેશની આઝાદી માટે પોતાના સંઘર્ષો, ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનને લઇને 'ધરોહર' નામથી એક વીડિયો શ્રેણીની શરૂઆત કરી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વતંત્રતા દિવસે આ વીડિયો શ્રેણીની શરુ કરવા અંગેની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું, 'કોંગ્રેસની ધરોહર, દેશની ધરોહર.'