કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટને લઈને ફરી એક વાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
પીએમ નરેન્દ્ર મોદી રસી, ઓક્સિજન અને દવાઓની સાથે ગાયબ- રાહુલ
વિપક્ષના નેતાઓએ પીએમને પક્ષ લખી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધની માંગ કરી
ઓક્સિજનની અછત અને રસીનો સપ્લાય ઓછો હોવાને લઈને નિશાન સાધ્યું
પીએમ નરેન્દ્ર મોદી રસી, ઓક્સિજન અને દવાઓની સાથે ગાયબ- રાહુલ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી છે કે પીએમ નરેન્દ્ર મોદી રસી, ઓક્સિજન અને દવાઓની સાથે ગાયબ થઈ ગયા છે. હવે ફક્ત સેન્ટ્રલ વિસ્ટા, દવાઓ પર જીએસટી અને પીએમના ફોટો જ બચ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી છે કે વેક્સીન, ઓક્સિજન અને દવાઓની સાથે પીએમ ગાયબ છે. બચ્યા છે તો બસ સેન્ટ્રલ વિસ્ટા, દવાઓ પર જીએસટી અને જ્યાં ત્યાં પીએમના ફોટા, આ રીતે રાહુલ ગાંધી કોરોનાની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની અછત અને રસીનો સપ્લાય ઓછો હોવાને લઈને નિશાન સાધ્યું છે.
वैक्सीन, ऑक्सीजन और दवाओं के साथ PM भी ग़ायब हैं।
बचे हैं तो बस सेंट्रल विस्टा, दवाओं पर GST और यहाँ-वहाँ PM के फ़ोटो।
મોદીની વિશાળ રેલીઓને લઈને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતુ
રાહુલ ગાંધી ગત અનેક દિવસોથી પીએમ નરેન્દ્ર મોદી પર સતત હુમલો કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની વિશાળ રેલીઓને લઈને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતુ. આ પહેલા બુધવારે સોનિયા સહિત વિપક્ષના નેતાઓએ પીએમને પક્ષ લખી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધની માંગ કરી હતી. આ પહેલા નવું સાંસદ ભવન અને પીએમ આવાસ વગેરેનું નિર્માણ થઈ રહ્યુ છે. વિપક્ષી નેતાઓની માંગ છે કે કેન્દ્ર સરકારે કોરોના કાળમાં આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવીને રસીના સપ્લાય અને હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રક્ટરને મજબૂત કરવા પર ખર્ચ વધારવો જોઈએ.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે ભારતમાં રાજનીતિક અને સામાજિક કાર્યક્રમોમાં ભારે ભીડને કારણે કોરોનાની બીજી લહેર તેજ થઈ છે. એટલું જ નહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે ભારતમાં મળેલા નવા વેરિએન્ટનો પહેલો કેસ ઓક્ટોબર 2020માં જોવા મળ્યો હતો.