કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એકવખત શીખ ફોર જસ્ટિસ (SFJ) તરફથી ધમકી આપવામાં આવી છે. વીડિયો જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, પંજાબમાં ઘરે-ઘરે દહેશતના સામાન પહોંચી ગયા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એકવખત મળી ધમકી
શીખ ફોર જસ્ટિસે વીડિયો જાહેર કરીને આપી ધમકી
શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દિવાલો પર લખાયા નારા
પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાનના સમર્થનમાં દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દિવાલો પર આ નારા લખવામાં આવ્યા છે. અહીં બીજી વખત આ પ્રકારનું કૃત્ય થયું છે. આ પહેલા પણ આ દિવાલો પર જ આવા નારા લખવાનો મામલો સામે આવ્યો હતો.
રાહુલ ગાંધીને આપવામાં આવી ધમકી
સતત પંજાબનો માહોલ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શીખ ફોર જસ્ટીસ (SFJ) તરફથી વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઘરે-ઘરે દહેશતના સામાન પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં આ વીડિયોમાં રાહુલ ગાંધીને પણ ધમકી આપવામાં આવી છે.
"પંજાબના રસ્તા પર ચાલીને બતાવો"
વાસ્તવમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 11 જાન્યુઆરી 2023ના રોજ પંજાબમાં રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવા જઈ રહી છે. બીજી વખત રાહુલ ગાંધીને ધમકી આપવામાં આવી છે. રાહુલ ગાંધીને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પંજાબના રસ્તા પર ચાલીને બતાવે. જે બોમ્બ CM ભગવંત માનના ઘરની નજીક આવેલા પાર્કમાંથી મળ્યો હતો, તે હેલીપેડ પર પણ મળી શકતો હતો.
અગાઉ પણ રાહુલ ગાંધીને મળી ચૂકી છે ધમકી
બે અઠવાડિયા પહેલા પણ રાહુલ ગાંધીને આવી જ ધમકી આપવામાં આવી હતી. શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા રાત્રિના સમયે સૂત્રો લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે-સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ ખોટી પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, વહીવટીતંત્ર દ્વારા આ દિવાલો પરથી સૂત્રો હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલે પણ શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી.