ગુજરાતના રાજકોટમાં શુક્રવારે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 લોકોના મૃત્યું થયા છે. જો કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણકારી સામે આવી છે. જો કે આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.
રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડનો મામલો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુઃખ
સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરી જણાવ્યું કે રાજકોટના એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ખબર દુઃખદ છે. અમદાવાદમાં ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
The news of fire in a Covid hospital in Rajkot is distressing. Similar fire broke out in August in Ahmedabad. The government must investigate seriously into these cases.
My condolences to the family of the patients who lost their lives.
એક માહિતી અનુસાર ઉદય શિવાનંદ મલ્ટી સ્પેશાયિલીટી હોસ્પિટલના ICUમાં સવારે 3 વાગે આગ લાગી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દૂર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. જેની જવાબદારી ACS એ. કે. રાકેશને સોંપવામાં આવી છે.
આ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે દર્દીઓના મૃત્યુંથી ઘણો દુઃખી છું. મારી સંવેદન તે લોકો સાથે છે જેમણે આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. તંત્ર પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઝડપથી કરે.
Extremely pained by the loss of lives due to a hospital fire in Rajkot. My thoughts are with those who lost their loved ones in this unfortunate tragedy. Praying for a quick recovery of the injured. The administration is ensuring all possible assistance to those affected: PM