કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજરોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇને સતત વધી રહેલા સંકટ અને લોકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાતચીત કરી. કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ ઉઠાવી રહી છે.
કોરોના મુદ્દે રાહુલ ગાંધીનુ નિવેદન
પ્રવાસી શ્રમિકો માટે યોગ્ય નીતિ હોવી જોઈએ
લોકડાઉનના 45 દિવસો થઈ ગયા
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા અમે સરકારને કેટલાક સૂચનો આપવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નાના વેપારીઓ માટે રાહત પેકજની જાહેરાત કરવી જોઇએ અને લોકડાઉન ખોલવાની તૈયારી કરવી જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે હવે બતાવું જોઇએ કે શું થઇ રહ્યું છે, જનતાને જણાવવું જોઇએ કે લોકડાઉન હવે ક્યારે ખુલશે? લોકોને બતાવવું જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં લોકડાઉન ખુલશે. લોકડાઉન દરમિયાન ઘણું બદલાઇ ગયું છે, હવે આ મહામારી ઘણી ખતરનાક થઇ ગઇ છે.
રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે લોકડાઉનને 45 દિવસો થઇ ગયા છે. લોકડાઉનના કારણે ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. લોકડાઉન સાથે બીજા ઉપાયો કરવા પડશે. કેન્દ્ર સરકારના કાર્યમાં પારદર્શિતા જરૂરી છે. કોંગ્રેસ સરકારને મદદ કરવા તૈયાર છે.
કોરોનાને લઇને રાહુલ ગાંધી કહ્યું કે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળવું પડશે. ગરીબ લોકોને આજે મદદની જરૂર છે. દેશના રેડ, ઓરેંજ, ગ્રીન ઝોન પર ચર્ચા થવી જોઇએ. દેશમાં રણનીતિ બનાવી રસ્તો બનાવવો પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું લોકડાઉનને 45 દિવસ થઇ ગયા છે, હવે કોઇપણ રાહ જોયા વગર રાહતપેકજ જાહેર કરવું જોઇએ. પ્રવાસી શ્રમિકો માટે યોગ્ય નીતિ હોવી જોઇએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રએ કેન્દ્ર સરકારના ભાગીદાર બનવું જોઇએ અને રણનીતિ પર સાથે કામ કરવું જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે લોકડાઉનને ખોલવાની જરૂરી છે. પ્રવાસી શ્રમિક, ગરીબ, નાના ઉદ્યોગકારોને આજે રૂપિયાની જરૂરિયાત છે, નહીં તો બેરોજગારીની સુનામી આવી જશે.