કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ માંગ કરી છે કે કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલી જનતા પાસે સેનેટાઇઝર, માસ્ક અને બીજા જરૂરી સામાન પર જીએસટી (GST) લેવો ખોટો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે સરકારે કોરોના વાયરસની સારવારમાં કામ આવતા ઉપકરણો અને સામાનોને જીએસટી ફ્રી કરવો જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર કોરોનાની સારવારમાં કામ આવતા ઉપકરણો અને સામાનોને GST ફ્રી કરે
દેશમાં હાલ લોકો મોટા પ્રમાણમાં માસ્ક, સેનેટાઇઝર અને હાથ મોજાનો ઉપયોગ કરી રહ્યા છે
કોરોના વાયરસના સંક્રમણે રોકવા માટે દેશમાં આ સમયે લોકો મોટા પ્રમાણમાં માસ્ક, સેનેટાઇઝર અને હાથ મોજાનો ઉપયોગ કરી રહ્યા છે. ગત કેટલાક સમયમાં આ સામાનોનું વેચાણ ઘણું વધ્યું છે. રાહુલ ગાંધીએ આ સામાનો પર લેવાતા જીએસટીનો મુદ્દો ઉઠાવ્યો છે.
જીએસટી મુક્ત કોરોના સારવારની માંગ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, કોવિડ 19ના આ મુશ્કેલ સમયમાં અમે સતત સરકાર સામે માંગ ઉઠાવી રહ્યા છીએ કે આ મહામારીના ઉપચાર સાથે જોડાયેલા નાના-મોટા ઉપકરણો જીએસટી મુક્ત કરવામાં આવે. બીમારી અને ગરીબીથી ત્રસ્ત જનતા પાસે સેનેટાઇઝર, સાબુ, માસ્ક, હાથ મોજા વગેરે પર જીએસટી વસૂલવો ખોટો છે. જીએસટી મુક્ત કોરોનાની માંગ પર અમે અડગ રહીશું.
#Covid19 के इस मुश्किल वक्त में हम लगातार सरकार से माँग कर रहे हैं कि इस महामारी के उपचार से जुड़े सभी छोटे-बड़े उपकरण GST मुक्त किए जाएँ।बीमारी और ग़रीबी से जूझती जनता से सैनीटाईज़र, साबुन, मास्क, दस्ताने आदि पर GST वसूलना ग़लत है। #GSTFreeCorona माँग पर हम डटे रहेंगे। pic.twitter.com/iXLkw7lMxM
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટની સાથે એક લિસ્ટ પણ શૅર કર્યું છે. રાહુલ ગાંધીના આ લિસ્ટ મુજબ સરકાર સેનેટાઇઝર પર 18 ટકા, માસ્ક પર 5 ટકા અને લિક્વિડ હેન્ડ વૉશ પર 18 ટકા, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ પર 5 ટકા ટેક્સ લે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આ સામાનોથી જીએસટી હટાવવાની માંગ કરી છે.
જનતાને મળે મફત અનાજ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોનાથી હેરાન જનતાના મુદ્દાઓને સતત ઉઠાવી રહ્યા છે. 15 એપ્રિલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે સરકાર એ તમામ લોકોને અનાજ આપે, જે લૉકડાઉનને કારણે હેરાન છે અને જેને ભોજન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ સંકટમાં ઇમરજન્સીમાં રાશન કાર્ડ જારી કરવામાં આવે. આ એ તમામ લોકો માટે હોય જે આ લૉકડાઉનમાં અન્નની અછતથી ઝૂઝી રહ્યા છે. લાખો દેશવાસીઓ વિના રાશન કાર્ડના પીડીએસનો લાભ ઉઠાવી શકતા નથી. અનાજ ગોડાઉનમાં પડ્યું સડી રહ્યું છે જ્યારે સેંકડો લોકો ભૂખ્યા પેટે રાહ જોઇ રહ્યા છે.