કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને મોદી સરકાર પર વરસ્યા છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને આરએસએસ પર કટાક્ષ કર્યા. તેઓએ કહ્યું કે આસામને નાગપુર અને આરએસએસ (RSS)ના ચડ્ડીવાળા નહીં ચલાવે. તેને આસામની જનતા ચલાવશે.
CAA પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો
ગુવાહાટીમાં રાહુલ ગાંધી બોલ્યા, મોદી સરકાર દેશમાં ઘૃણા ફેલાવવાનો માહોલ બનાવી રહી છે, આપણે એક થવું પડશે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર કાયર છે અને આ દેશ તેમની કાયરતાને ઓળખી રહ્યો છે.
રાહુલ ગાંધીએ CAA વિરોધી પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ ઉભો થયો છે. જ્યારે લખનઉમાં પ્રિયંકા ગાંધીએ સીએએ (CAA)ના મુદ્દા પર મોદી સરકારને કાયર બતાવ્યા.
ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'આ માહોલ કેમ છે? હું જણાવું છું. કેમકે એમનું (બીજેપી સરકાર) લક્ષ્ય છે કે આસામની જનતાઓને લડાવો, હિન્દુસ્તાનની જનતાને લડાવો, તેમણે જ્યાં પણ જાય છે ત્યાં માત્ર ઘૃણા જ ફેલાવે છે. પરંતુ આસામ ઘૃણાથી આગળ નહીં વધે, ગુસ્સાથી આગળ નહીં વધે, તે પ્રેમથી આગળ વધશે.
આપની અવાજથી ડરે છે, કચળી નાંખવા માંગે છે
કેન્દ્ર સરકાર પર હુમલો બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, 'પીએમ મોદીએ નોટબંધી, જીએસટીને લાવીને અર્થવ્યવસ્થાનો નષ્ટ કરી દીધી. ભારત માતાને ઘાયલ કરી. તેમનું કામ માત્ર ઘૃણા ફેલાવવાનું છે. પીએમ નરેન્દ્ર મોદી જણાવે કે, કેટલા લોકોને રોજગારી આપી. આપણા યુવાઓ ભટકી રહ્યા છે. હવે આસામમાં યુવા પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં આ જ માહોલ છે. તેમને (યુવાનોને) ગોળી મારવામાં આવી રહી છે. જનતાની અવાજને બીજેપી સાંભળવા નથી માંગતી. આપની અવાજથી ડરે છે, કચળી નાંખવા માંગે છે. યુવાનોને મારવા માંગે છે.'
ગરીબોના પૈસા મુડીપતિઓના હવાલે કર્યા
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો. તેઓે કહ્યું કે, પીએમ મોદીએ નોટબંધીને કાળા નાણા વિરુદ્ધ લડાઇ બતાવી. આપને લાઇનમાં ઉભા કરી દીધા અને 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા 15-20 મુડીપતિઓના હવાલે કરી દીધા. તેમના કરોડો રૂપિયા માફ કરી દીધા, ખેડૂતોનું કેટલું દેવુ માફ કર્યું જણાવો.'
#WATCH Rahul Gandhi in Guwahati: Hum BJP aur RSS ko Assam ki history, bhasha ,sanskriti par akraman nahi karne denge. Assam ko Nagpur nahi chalayega, Assam ko RSS ke chaddi wale nahi chalayenge. Assam ko Assam ki janta chalayegi. pic.twitter.com/hzg4qaPRPv
આસામના લોકોને એક થવાની અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આપ સૌએ એક થવું પડશે. બીજેપી નેતાઓને બતાવવું પડશે કે તેમણે આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ પર આક્રમણ કરી શકશે નહીં. આપણે સૌ એક છીએ અને સાથે મળીને રહીશું. અમારી વચ્ચે ઘૃણા પેદા નહીં કરી શકે.
કાયર છે મોદી સરકાર : પ્રિયંકા ગાંધી
લખનઉમાં કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસ પર પ્રિયંકા ગાંધીએ બીજેપી પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર કાયર છે અને આ દેશ તેમની કાયરતાને ઓળખી રહ્યો છે. એનઆરસી અને સીએએના મુદ્દા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે જનતાએ અવાજ ઉઠાવી તો આ લોકો પાછળ હટવા લાગ્યા. આ કાયરતાની નિશાની છે.