રાહુલ ગાંધી સાથે વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ જે કાશ્મીર ગયું હતું, તે દિલ્હી પાછું ફર્યું છે. આ તમામ નેતાઓ જ્યારે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા તો એમને એરપોર્ટથી બહાર જવા દેવાયા નહીં અને પાછા દિલ્હી મોકલી દેવાયા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા. પરંતુ એમને શ્રીનગર એરપોર્ટથી પાછા મોકલી દેવાયા છે. આ દરમિયાન શ્રીનગર એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. તમામ નેતાઓ અનુચ્છેદ 370ના પ્રમુખ જોગવાઇને હટાવ્યા બાદ ત્યાંની સ્થિતિને જાણવા ગયા હતા.
કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી - રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક દિવસો પહેલા મને રાજ્યપાલે જમ્મૂ કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. મેં નિમંત્રણનો સ્વીકાર કર્યો પરંતુ અમને એરપોર્ટથી બહાર જવાની મંજૂરી ન આપવામાં આવી. અમારી સાથે મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો. તેથી સ્પષ્ટ છે કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમને શહેરમાં જવાની અનુમતિ નહોતી, પરંતુ જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ ભયાનક છે. અમારી ફ્લાઇટમાં હાજર કાશ્મીરના યાત્રાળુઓ પાસેથી જે સાંભળ્યું, તે આંસૂ લાવી દે તેવી છે.
વિપક્ષનું આવવું અને રાજનીતિ ઠીક નહીં - રાજ્યપાલ સત્યપાલ મલિક
જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે આવા સમયે વિપક્ષી નેતાઓનું અહીં આવવું અને રાજનીતિ કરવી ઠીક નથી. એમણે કહ્યું કે કાશ્મીર મુદ્દા પર રાહુલ ગાંધીએ સંસદમાં બોલવું જોઇતું હતું.
Delegation of opposition leaders comprising Rahul Gandhi, Ghulam Nabi Azad, D Raja, Sharad Yadav, Manoj Jha, Majeed Memon, and others that had reached SRINAGAR has been sent back. #JammuAndKashmir
આ પ્રવાસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, સીપીએમના સીતારામ યેચુરી, ડીએમકેના તિરુચિ સિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, સીપીઆઇના ડી રાજા, એનસીપીના મજીદ મેનન, આરજેડીના મનોજ જ્ઞા, જેડીએસના કુપેન્દ્ર રેડ્ડી અને શરદ યાદવ ગયા હતા. જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું.
આ પહેલા તંત્રે એમને એમ કહેતા જમ્મૂ કાશ્મીર ન આવવા અનુરોધ કર્યો હતો કે સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઇ રહી છે. તેમા બાધા નાંખવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. જમ્મૂ કાશ્મીર સરકારના સૂચના અને જનસંપર્ક વિભાગે ટ્વીટ કરતા કહ્યું હતું, 'એવા સમયમાં જ્યારે સરકાર જમ્મૂ કાશ્મીરના લોકોને સીમા પાર આતંકવાદ અને આંતકીઓ અને અલગાવવાદીઓના હુમલાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને ઉપદ્રવી તત્વોને નિયંત્રિત કરી ધીરે-ધીરે સાર્વજનિક વ્યવસ્થાને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં વરિષ્ઠ નેતાઓ સ્થિતિ સામાન્ય બનાવી રાખે.