કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધીએ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના કાશ્મીર બોલાવવાના પ્રસ્તાવ પર જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષી નેતાઓના દળને જમ્મૂ કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવે તથા લોકોને મળવાની તક આપવામાં આવે.
રાહુલ ગાંધીએ સત્યપાલ મલિકને સંબોધિત કરતા ટ્વિટ કર્યું છે કે હું વિપક્ષના નેતાઓ સાથે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આવવાના નિમત્રણનો સ્વીકાર કરવા માંગુ છુ. રાહુલ ગાંધીએ કહ્યું, 'અમને એરક્રાફ્ટ ન આપશો, પરંતુ અમને ત્યાં જવા અને લોકોને મળવાની આઝાદી મળશે. અમારા મેન સ્ટ્રીમ લીડર અને સેનાના જવાન ત્યાં જ રહેશે.'
જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે અનુચ્છેદ 370માં બદલાવ કર્યા બાદ રાજ્યમાં હિંસા વાળા નિવેદનને લઇને કોંગ્રેસના રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. એમણે કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને કાશ્મીર ખીણનો પ્રવાસ કરાવવા અને જમીની હકીકતને જાણવા માટે એમણે વિશેષ વિમાન મોકલશે.
Dear Governor Malik,
A delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh.
We won’t need an aircraft but please ensure us the freedom to travel & meet the people, mainstream leaders and our soldiers stationed over there. https://t.co/9VjQUmgu8u
કોંગ્રેસ નેતા શશિ થરૂરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને કાશ્મીર મોકલવાની માંગ કરી હતી. શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું, 'માત્ર રાહુલ ગાંધી કેમ, અમે કોંગ્રેસની તરફથી ગવર્નર સાહેબ આપને માંગ કરીએ છીએ કે, એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જમ્મૂ કાશ્મીર બોલાવવામાં આવે.
આ પ્રતિનિધિમંડળ કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી મેળવશે. આપ આ યાત્રાની વ્યવસ્થા કરો. જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું કે જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370ની જોગવાઇ હટાવવાનો કોઇ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી.