કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. તેમણે ફરી એક વાર મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો
મોદી સરકાર પર કર્યો મોટો કટાક્ષ
મોંઘવારીને લઈને ઘેરાવ કર્યો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. તેમણે ફરી એક વાર મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે શનિવારે ટ્વિટ કરતા લખ્યું છે કે, 'રાજા કરે મહેલની તૈયારી, પ્રજા બિચારી મોંઘવારીની મારી' તેમણે પોતાના ટ્વિટમાં અમુક સમાચારોના સ્ક્રિનશોટ પણ શેર કર્યા છે. જેમાં પેટ્રોલ, ડીઝલ અને સિલેન્ડરના ભાવ વધવાની માહિતી આપવામાં આવી છે. આ અગાઉ રાહુલે શનિવારે સચેત કર્યા હતા કે, મોંઘવારી હજૂ પણ વધશે. તેની સાથે જ તેમમણે સરકારને દેશની જનતાને મોંઘવારીથી બચાવા માટે પગલા ઉઠાવાનો અનુરોધ કર્યો હતો.
ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતા પહેલા જ તેની કિંમતોમાં રેકોર્ડ વધારાએ ગરીબો અને મધ્યમ વર્ગને કચળી નાખ્યા હતા. રાહુલ ગાંધીએ આ અગાઉ પહેલા પાંચ રાજ્યોમાં પાર્ટીની ભૂંડી હાર બાદ ભાજપ પર કેટલાય મુદ્દાને લઈને ટાર્ગેટ કર્યો હતો. રાહુલ ગાંધીએ ત્યારે એફડી, પીપીએફ, ઈપીએફ અને મોંઘવારી સાથે જોડાયેલા આંકડા ટ્વિટ કરતા પૂછ્યું હતું કે, શું સરકારની જવાબદારી જનતાને રાહત આપવાની નથી.
છેલ્લા 4 દિવસથી ઇંધણના ભાવમાં વધારો
શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જે ચાર દિવસમાં ત્રીજો વધારો છે. આજે શનિવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલમાં 3.20 રુપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યા. મહત્વનું છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને કારણે 137 દિવસ સુધી ઇંધણના ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો ન હતો જે દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થવા પામ્યો હતો.