"અચ્છે દિન કી આસ મેં, જીવીત બદલ ગયે લાશ મેં..., ફીરભી મોદીજી લગે હે છવી ચમકાને કી તલાશ મેં...." કોંગ્રેસ નેતાનો મોદી સરકાર પર પ્રહાર
સોશિયલ મીડિયા વિવાદને લઈને કોંગ્રેસ નેતાને સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાગિની નાયકે મોદી સરકાર પર કવિતા દ્વારા સાધ્યુ નિશાન
આવા કપરા સમયમાં પણ મોદી સરકાર પોતાની છબી સુધારતી હોવાનો આક્ષેપ
મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સોશિયલ મીડિયા માટેની નવી ગાઈડલાઈનને લઈને વિવાદોનો વંટોળ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે મોદી સરકાર પર એક કવિતા દ્વારા આકરો પ્રહાર કર્યો છે. મોદી સરકારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ જેવી કે ટ્વીટર, ફેસબુક, ઈન્ટાગ્રામ અને વોટ્સએપને નોટિસ મેકલીને નિયમોના પાલન અંગે સવાલો કર્યા હતા. ત્યાં જ વોટ્સએપે સરકારના નવા આઈટી નિયમો વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ બધી વાતોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. આવામાં સરકાર પર વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં નોડલ ઓફિસર, રેસિન્ડેટ ગ્રીવાંસ ઓફિસર અપોઈન્ટ કરવો જોઈએ. જે ભારતનો હશે. આ ઓફિસરે 15 દિવસની અંદર OTT કન્ટેન્ટ વિરૂદ્ધ મળતી દરેક ફરિયાદ જોવાની રહેશે. આ ઉપરાંત નવી ગાઈડલાઈન હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો એક મંથલી રિપોર્ટ જાહેર કરવાનો રહેશે. જેમાં ફરિયાદ અને તેને કઈ રીતે સોલ્વ કરવામાં આવી તે વાતની જાણકારી આપવાની રહેશે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે ઈન્ડિયાનું ફિઝિકલ એડ્રેસ હોવું જોઈએ. જે કંપનીના મોબાઈલ એપ અને વેબસાઈટ પર દાખલ હોવું જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે મોદી સરકાર પર સાધ્યો નિશાનો
સોશિયલ મીડિયાને લઈને ચાલી રહેલા આ વિવાદ પર કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે એક ટીવી ડિબેટમાં મોદી સરકા પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે. તેમણે મોદી સરકાર પર એક કવિતા દ્વારા હુમલો બોલતા કહ્યું કે, "અચ્છે દિન કી આસ મેં, જીવીત બદલ ગયે લાશ મેં..., મોદીજી ફિર ભી લગે હે છવી ચમકાને કી તલાશ મેં." કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "કોરોના સંકટની વચ્ચે પણ મોદીજી પોતાની છબી ચમકાવવામાં લાગેલા છે. આલ્ટરનેટ મીડિયા એટલે કે સોશિયલ મીડિયા તેના પર કોઈ પણ ,કંઈ પણ, ક્યારે પણ પોસ્ટ કરી શકે છે. તેને નિયંત્રણમાં લાવવું થોડું મુશ્કેલ છે."
"લોકતંત્રના ચોથા સ્તંભ અને મોટાભાગની સંવિધાનિક સંસ્થાઓને મુઠ્ઠીમાં કરવાનું કામ આ સરકાર કરી રહી છે. આ લોકો હવે ઓલ્ટરનેટ મીડિયાનું ગળુ પણ દબાવી દેશે. જ્યારે સરકારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો હતો ત્યારે મોદીજી વિચારી રહ્યા હતા કે કઈ રીતે પોતાની છબી સુધારી શકાય."