પ્રિયંકા ગાંધીએ સરકાર પાસે માંગ કરી છે કે હવે યુપીના લખીમપુર ખીરીમાં ગાડીની નીચે કચડાઈને મરનારા ખેડૂતોના પરિવારને ન્યાય મળે.
પ્રિયંકાએ સરકારના આ કૃષિ કાયદાને રદ્દ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ
ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરો- પ્રિયંકા
જો પીએમ ખેડૂતને કચડનારા આરોપી સાથે સ્ટેઝ શેર કરે છે તો એનો મતલબ છે કે તેઓ તેને રક્ષણ આપી રહ્યા છે
પ્રિયંકાએ સરકારના આ કૃષિ કાયદાને રદ્દ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ
PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કાલે 3 નવા કૃષિ કાયદાને રદ્દ કરવાનું એલાન ક્યું છે. જેને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી છે. પ્રિયંકાએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. સાથે તેમણે સરકાર પાસે માંગ કરી છે કે હવે યુપીના લખીમપુર ખીરીમાં ગાડીની નીચે કચડાઈને મરનારા ખેડૂતોના પરિવારને ન્યાય મળે.
..@narendramodi जी अगर देश के किसानों के प्रति आपकी नीयत सचमुच साफ है तो आज अपने केंद्रीय गृह राज्यमंत्री के साथ मंच पर विराजमान मत होईये, उनको बर्खास्त कीजिये।
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડવાનો આરોપ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર લાગ્યો છે. પરંતુ ભાજપ સરકાર આરોપીને બચાવવામાં લાગેલી છે. જો તમે (પીએમ મોદી) આરોપીની સાથે મંચ શેર કરો છો તો સીધો સંદેશ જાય છે કે તમે ખેડૂતોને કચડનારાને બચાવી રહ્યા છો. તેમણે કહ્યું કે આ 700થી વધારે શહીદ ખેડૂતોનું અપમાન હશે.
ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરો- પ્રિયંકા
પ્રિયંકાએ વધુંમાં કહ્યું કે જો ખેડૂતોના પ્રત્યે તમારી દાનત સારી છે. તો આજે લખનૌમાં પોલીસ મહાનિર્દેશક સંમેલનમાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની સાથે વિરાજમાન ન થતા. તેમણે કહ્યં કે અમે માંગ કરીએ છીએ કે પીડિત પરિવારોને ન્યાય આપવા માટે તમે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરો. પ્રિયંકાએ માંગ કરી કે સરકાર તમામ ખેડૂતોની વિરુદ્ધ ચાલી રહેલા કેસને પાછા લે અને પીડિત પરિવારોને આર્થિક મદદ કરે.
સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે- પીએમ
ઉલ્લેખનીય છે કે પીએમે શુક્રવારે જાહેરાત કરી છે કે સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ગત વર્ષથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને પાછા ફરવાની અપીલ કરી છે.