નાગરિકતા સંશોધન એક્ટ (CAA) પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ એક્ટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. હવે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાધી પ્રદર્શનકારીઓનું મનોબળ વધારવા માટે ઈન્ડિયા ગેટ પહોંચ્યા હતા અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં થઈ રહેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજકીય દળો પણ સક્રિય થતાં જોવાં મળી રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા શુક્રવાર રાત્રે ઈન્ડિયા ગેટ પહોંચ્યા અને ત્યાં નાગરિકતા સંશોધન એક્ટર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોનું મનોબળ વધાર્યો હતો. કહ્યું કે CAA અને NRC ગરીબોના વિરુદ્ધમાં છે. આ કાયદાથી ગરીબ જનતા જ સૌથી વધુ પ્રભાવિત થશે. આવામાં મજૂરોનું શું થશે.
Congress leader Priyanka Gandhi Vadra at a protest, at India Gate, Delhi: #CitizenshipAct & NRC are against the poor. The poor they will be most affected by it. What will the daily wage labourers do?; Demonstrations should be held peacefully. pic.twitter.com/icuqghggTc
પ્રિયંકા ગાંધી એ કહ્યું કે જો કોઈને 30-35 વર્ષ જૂના ડૉક્યુમેન્ટ્સ લાવવા પડે તો કેવી રીતે આપી શકશે. દેશને કેવી સ્થિતિમાં નાંખી રહ્યાં છો. તેમણે આગળ કહ્યું કે જે રીતે નોટબંધી દરમ્યાન લોકોને લાઈનમાં ઊભાં રહેવું પડ્યું હતું. એ જ રીતે હવે સરકાર ઈચ્છી રહી છે કે આ મુદ્દે પણ લોકો લાઈનમાં ઊભાં રહે.
પ્રિયંકા ગાંધી આગળ બોલ્યાં કે આનાથી સૌથી વધુ પ્રભાવિત કોણ થશે? જે અમીર છે તે તો પાસપોર્ટ બતાવી દેશે પરંતુ ગરીબોનું શું થશે, દૈનિક રોજગારી મેળવતા મજૂરનું શું થશે. જો કે પ્રિયંકા ગાંધીએ પ્રદર્શનકારીઓને અપીલ કરી હતી કે તેઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરે.
સોનિયા ગાંધીએ પણ કર્યા હતા પ્રહાર
Congress Interim President Sonia Gandhi: In a democracy people have right to raise their voice against policies of govt®ister their concerns. BJP govt has shown utter disregard for people’s voices&chosen to use brute force to suppress dissent. #CitizenshipAmendmentActpic.twitter.com/ycMph7Eib4
સોનિયાએ કહ્યું કે, લોકતંત્રમાં લોકોની પાસે ખોટો નિર્ણય અને સરકારની નીતિઓ વિરૂદ્ધ બોલવાનો અધિકાર હોય છે અને પોતાની વાત રજૂ કરવાનો પણ અધિકાર હોય છે. ભાજપ સરકારે અસંતોષને દબાવવા માટે લોકોના અવાજનું અપમાન કર્યું અને ક્રૂર રીતે બળ પ્રયોગ કર્યો.