કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હજુ યથાવત્ છે. આ વચ્ચે પ્રિયંકા ગાંધીએ આજે મુઝફ્ફરનગરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.
મુઝફ્ફરનગરમાં પ્રિયંકા ગાંધીએ ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી
જે ખેડૂતોના દીકરાઓને બોર્ડર પર મોકલ્યા, તેમનું અપમાન થયુંઃ પ્રિયંકા ગાંધી
પીએમ મોદીએ ખેડૂતોને આવક બેગણી કરવાનો વાયદો કર્યો હતો. આવક વધી?: પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દરેક નેતાને અહેસાસ થવો જોઇએ કે જનતા તેના પર અહેસાન કરે છે, મને તેનો સંપૂર્ણ અહેસાસ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડૂતોનું અપમાન કરવામાં આવ્યું. જે ખેડૂતોના પોતાના દીકરાઓને દેશની સુરક્ષા માટે બોર્ડર પર મોકલે છે તેમને અપમાનિત કરવામાં આવ્યા, તેમણે દેશદ્રોહી કહેવામાં આવ્યા, તેમને આતંકી કહેવામાં આવ્યા. પીએમ મોદીજીએ સમગ્ર સંસદમાં ખેડૂત આંદોલનની મજાક ઉડાવી. ખેડૂતોને પરજીવી કહ્યા.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આંદોલન દરમિયાન જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈટની આંખોમાં આંસૂ હતા, ત્યારે પ્રધાનમંત્રી મોદી હંસી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ઘઉંના બાકીના ચૂકવવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીએ ખેડૂતોને આવક બેગણી કરવાનો વાયદો કર્યો હતો. આવક વધી?
પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, શું ઘઉંના ભાવ 2017થી વધ્યા છે? તમે સૌ ઘઉંના ખેડૂતો છો, સરકારે શું ઘઉંના ભાવ વધાર્યા. તમને બાકીના કેટલા છે? ઉત્તરપ્રદેશમાં ઘઉંના ખેડૂતોને 10 હજાર કરોડ બાકીના છે અને સમગ્ર દેશભરમાં ઘઉના બાકીના જોવામાં આવે તો 15 હજાર કરોડ બાકીના છે. બાકીના હજુ સુધી પૂરા કરવામાં નથી આવ્યા. પરંતુ દુનિયાનો પ્રવાસ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ બે વિમાન ખરીદ્યા છે. બે વિમાનની કિંમત શું છે? આ બન્ને વિમાનોની કિંમત 16 હજાર કરોડ રૂપિયા છે. જ્યારે 15 હજાર કરોડ રૂપિયામાં ઘઉંના ખેડૂતોને બાકીના ચૂકવી શકાય છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઘઉંના ભાવ નથી વધ્યા પરંતુ તેલ અને વીજળીની કિંમત આસમાને પહોંચી છે. પ્રધાનમંત્રી મોદી અહંકારી રાજાની જેમ વર્તન કરે છે.
મહત્વનું છે કે, મુઝફ્ફરનગરમાં પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ સિવાય કેટલાક અન્ય નેતા પણ હાજર રહ્યા.
કેપ્ટન સતીશ શર્માના નિધનના કારણે મથુરામાં ખેડૂત પંચાયત સ્થગિત
પ્રિયંકા ગાંધી મથુરાની ખેડૂત પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા, પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન સતીશ શર્માના નિધનના કારણે આ સ્થગિત કરી દેવામાં આવ્યું. હવે મથુરામાં 23 ફેબ્રુઆરીએ ખેડૂત મહાપંચાયત હશે. પ્રિયંકા ગાંધી સહારનપર અને બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી ચૂકી છે.