કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે.
અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા -8.5 કરોડ, રસી ઉત્પાદન થયુ 7.94 કરોડ અને રસી લાગી 6.1 કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે 12 કરોડ રસી આવશે. ક્યાંથી? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થઈ જશે? રસીના બજેટના 35 હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.’
આ પહેલા બુધવારે પણ તેમણે યૂનિવર્સલ રસીકરણની માંગ કરતા ફેસબુક પર લખ્યું હતુ કે આજે દેશમાં રોજ સરેરાશ 19 લાખ લોકોને રસી લાગી શકી છે. કેન્દ્ર સરકારની ડામાડોળ રસી નીતિએ રસીકરણને અધર તાલ છોડી દીધું છે. કોંગ્રેસે બુધવારે મફત રસીની માંગ કરતા સોશિયલ મીડિયા પર ‘સ્પીક અપ ફોર ફ્રી યુનિવર્સલ રસીકરણ’ હૈશટેગ અભિયાન ચલાવ્યુ છે.
कहां से? क्या दोनों वैक्सीन कंपनियों की उत्पादकता में 40% का इजाफा हो गया? वैक्सीन बजट के 35000 करोड़ कहाँ खर्च किए?
अंधेर वैक्सीन नीति, चौपट राजा
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 3, 2021
એક દેશમાં રસીના 3 ભાવ અત્યાર સુધી ફક્ત 3.4 ટકા વસ્તીનું કુલ રસીકરણ
પ્રિયંકાએ દાવો કર્યો છે કે ભારતના લોકોને આશા છે કે સૌના માટે મફત રસીકરણ નીતિ બનશે. પરંતુ કેન્દ્ર સરકારે શું આપ્યુ? રસીકરણ સેન્ટર પર તાળા, એક દેશમાં રસીના 3 ભાવ અત્યાર સુધી ફક્ત 3.4 ટકા વસ્તીનું કુલ રસીકરણ, જવાબદારીનો ત્યાગ કરી ભારણ રાજ્યોના માથે નાંખ્યું, દિશાહીન રસી નીતિ. તેમણે કહ્યું કે જો ડિસેમ્બર 2021 સુધી દરેક ભારતીય રસીકરણ કરવા ઈચ્છીએ છીએ તો આપણે પ્રતિદિન 70-80 લાખ લોકોને રસી લગાવવી પડશે. પરંતુ મે મહિનામાં સરેરાશ 19 લાખ લોકોને રસી લાગશે.
રસી તો આખરે દેશવાસીઓને જ લાગશે તો પછી ભેદભાવ કેમ?
પ્રિયંકા ગાંધી ‘જવાબદાર કોણ’સિરિઝ અંતર્ગત સરકારને દર રોજ રસીકરણ અને કોવિડ 19ને લઈને સવાલ પૂછી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે મોદી સરકારની નિષ્ફળ રસીકરણ પોલીસીના ચાલતા અલગ અલગ ભાવ પર રસી મળી રહી છે. જે રસી કેન્દ્ર સરકારને 150 રુપિયામાં મળી રહી છે તે રાજ્ય સરકારોને 400 રુપિયામાં અને ખાનગી હોસ્પિટલોને 600 રુપિયામાં મળી રહી છે. રસી તો આખરે દેશવાસીઓને જ લાગશે તો પછી ભેદભાવ કેમ?