મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને આશરે 1 મહિનાથી ચાલી રહેલી માથાકૂટ શુક્રવારે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની મુલાકાત બાદ પણ પૂર્ણ થઇ નહોંતી. શિવસેના, કોંગ્રેસ અને NCP ની મહાબેઠક બાદ પણ NCP ના સુપ્રીમો શરદ પવારે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં સરકારને લઇ સસ્પેન્સ યથાવત
શરદ પવારે એક પત્રકાર પરિષદને કર્યું સંબોધન
કોંગ્રેસે કહ્યું શનિવારે વધુ વાતચીત આગળ વધશે
શરદ પવારે કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાનો સર્વાનોનુમતે નિર્ણય લેવાયો છે. જો કે, આ અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જ્યારે કોંગ્રેસ અને NCP નેતા બહાર જે રીતે નિકળ્યા ત્યારે માહોલ બદલાયો લાગી રહ્યો હતો.
કોંગ્રેસી નેતાએ કહ્યું- શનિવારે થશે વધુ વાતચીત
કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન વિશે શું કરાર થયો હતો તે સ્પષ્ટ કર્યું નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે અનુભવી રાજકારણીની જેમ ખૂબ જ સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આજે ત્રણેય પક્ષોની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં તેમના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષોએ સરકાર બનાવવા માટે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી હતી, પરંતુ વાતચીત હજી પૂર્ણ થઈ નથી. શનિવારે વાત આગળ વધશે.
Prithviraj Chavan, Congress:All 3 parties had positive discussions about govt formation. We've reached consensus on many issues but talks to continue tomorrow.Whatever Sharad Pawar Ji has said is on record,I won't speak on that. When we've discussed all things,we'll speak on them pic.twitter.com/dHiXUB3Cic
પવારના નિવેદનનો સંદર્ભ આપીને સીએમ પદ પર સહમત થવાના પ્રશ્નો ઉભા થયા ત્યારે ચવ્હાણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું કે જો એનસીપી ચીફ શરદ પવારે કંઈપણ કહ્યું હોય અને તમે સાંભળ્યું હશે તે રેકોર્ડ પર છે. જ્યારે તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે અમે મીડિયાને જાણ કરીશું.
બીજી તરફ, મુખ્યમંત્રી પદ પર જે બાબતે સહમતી થઈ છે તે અંગે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે તેઓ સાથે મળીને બધું જણાવી દેશે. એનસીપી નેતા પ્રફુલ પટેલે પણ કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ પર હજી સહમતી બાકી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે સસ્પેન્સ છે.
ગડકરીએ આપ્યું સરકારને લઇ નિવેદન
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૌથી મોટો પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, 'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત છે. ભલે તે સરકાર બને, પણ તે આગળ વધશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી છે, મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં.