ખેડૂત દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક સ્થળો પર કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો જોવા મળ્યો.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે બોલાચાલી
અમરેલીમાં પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યા હતા
પરેશ ધાનાણી બાઈક લઈને પોલીસ કાફલા વચ્ચેથી નિકળ્યા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીમાં વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે મામલો ગરમાયેલો જોવા મળ્યો.
પરેશ ધાનાણી દ્વારા બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા બોલાચાલી થયેલી જોવા મળી.
ભારત બંધના એલાનને લઇને ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે તેમના ઘર બહારથી જ ધારાસભ્ય સી. જે. ચાવડા, ગ્યાસુદ્દીન શેખની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કમલા ચાવડાને નજરકેદ કરવામાં આવ્યાં છે.
પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત
પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પાટલ જિલ્લામાં પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓની મોડી રાત્રે અને વહેલી સવારે અટકાયત કરી લેવામાં આવી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઘરે થી જ અટકાયત કરાઇ. જિલ્લામાં પાટણ, હારીજ, રાધનપુર, સાંતલપુ, વારાહી, સિદ્ધપુરમાં કેટલાક નેતા અને કાર્યકર્તાઓને ઘરમાં જ નજરકેદ કરાયા છે.
રાજકોટ કોંગ્રેસના મોટાભાગના નેતાઓની અટકાયત કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધના એલાનના પગલે રાજકોટ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અને કાર્યકરોની વહેલી સવારથી અટકાયત કરવામાં આવી છે. સુરતમાં માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ, મહિલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત સુરતમાં માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યું છે. જો કે ખેડૂતોના સમર્થનમાં APMC બંધ કરાવવા પહોંચેલા કોંગ્રેસના મહિલા કાર્યકરોની પૂણા પોલીસે અટકાયત કરી છે.
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને આ જ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ બહાર નીકળી રહ્યા છે. જ્યારે બીજી તરફ પોલીસે પણ બંધ કરાવવા માટે નીકળેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.
દાંતાના જ્યાં ધારાસભ્ય કાંતિ ખરાડી ઈકબાલગઢ હાઈ-વે બ્લોક કરવા નિકળ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી. આવી જ રીતે નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તા સાથે બંધ કરાવવા નીકળ્યા હતા, જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ થરાદમાં ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી. આ તરફ કોંગ્રેસ સેવા દળ અધ્યક્ષ લાલજી દેસાઈની પણ અટકાયત કરવામાં આવી હતી.