કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે દેશના આર્મી ચીફ બિપિન રાવતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઇએ, સેનાના જનરલ છે અને તેઓ પોતાના કામથી કામ રાખવું જોઇએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસ અને સ્થાપના દિવસ પર પી. ચિદમ્બરમે સરકાર પર પણ હુમલો બોલ્યો.
પી. ચિદમ્બરમે દેશના આર્મી ચીફ બિપિન રાવતના નિવેદન પર આપી પ્રતિક્રિયા
ચિદમ્બરમે બિપિન રાવતને કહ્યું કે, તેઓએ પોતાના કામથી કામ રાખવું જોઇએે
પી. ચિદમ્બરમે કહ્યું કે, આર્મીના જનરલોને સરકારને સપોર્ટ કરવા માટે કહેવાઇ રહ્યું છે, આ શરમની વાત છે
પી. ચિદમ્બરમે કહ્યું કે, ડીજીપી અને આર્મીના જનરલોને સરકારને સપોર્ટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે.
પોતાના કામથી કામ રાખે આર્મીના ચીફ
કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસ પર તિરુવનંતપુરમમાં એક રેલીમાં પી. ચિદમ્બરમે કહ્યું કે, ડીજીપી, આર્મી જનરલને સરકારને સપોર્ટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે...આ શરમજનક છે...હું જનરલ રાવતને અપીલ કરું છું કે, આપ આર્મીના ચીફ છો અને આપ આપના કામથી કામ રાખો. જે નેતાઓેએ કરવાનું છે તે નેતા જ કરશે. આ આર્મીનું કામ નથી કે, તે નેતાઓને કહે કે અમારે શું કરવાનું છે. જેમકે એ અમારું કામ નથી કે અમે આપને બતાવીએ કે યુદ્ધ કેવી રીતે લડવામાં આવે? જો તમે કોઇ યુદ્ધ લડી રહ્યા હોવ તો અમે આપને નથી કહેતા કે યુદ્ધ આ રીતે લડો. આપ યુદ્ધ આપના મગજ પ્રમાણે લડો છો. આ દેશમાં રાજનીતિ અમે ચલાવીશું.
નોંધનીય છે કે, પી. ચિદમ્બરમ બિપિન રાવતના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમા તેઓએ કહ્યું હતું કે નેતા નેતૃત્વ આપનારા હોય છે, લોકોને ખોટી દિશામાં લઇ જવા વાળા નહીં.