ઇમરાન ખાન કરતારપુર કોરિડોરનું 9 નવેમ્બરે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને વિશેષ આમંત્રણ મોકલ્યું હતું. સિદ્ધુના આમંત્રણ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન જવા માટે સિદ્ધુએ રાજનૈતિક મંજુરી લેવી પડશે.
હવે સિદ્ધુને ચારથી પાંચ દિવસની અંદર ભારત સરકારથી આ આમંત્રણ પર મંજુરી લેવી પડશે. નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી 575 લોકોની એ લિસ્ટમાં સામેલ છે જે ભારતથી કરતારપુર જતી શ્રદ્ધાળુઓની પહેલી ટીમમાં સામેલ છે. કેન્દ્ર સરકારે 29 ઓક્ટોબરે પાકિસ્તાન જતા 575 શ્રદ્ધાળુઓની સૂચી જાહેર કરી હતી.