જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં આતંકી હુમલા પર કોંગ્રેસનાં સિનિયર નેતા નવજોત સિદ્ધુનું નિવેદન સામે આવ્યું છે. ગયા વર્ષે પાકિસ્તાન જઇને પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ગળે ભેટનાર નવજોત સિદ્ધુએ કહ્યું કે આતંકીઓનો કોઇ દેશ અથવા ધર્મ નથી હોતો. તેઓએ જણાવ્યું કે "ગાળો દેવાં માત્રથી જ આનું સમાધાન નહીં થાય આતંકવાદનું નિરાકરણ શોધવું પડશે."
સિદ્ધુએ કહ્યું કે "આવાં લોકોનો કોઇ ધર્મ નથી હોતો દેશ નથી હોતો જાતિ નથી હોતી. જેથી લોખંડને લોખંડ જ કાપી શકે અગ્નિનો અગ્નિ જ કરી શકે." સિદ્ધુએ જણાવ્યું કે જ્યાં-જ્યાં જંગ ચાલી રહી છે ત્યાં ડાયલોગ પણ સાથે-સાથે ચાલે છે. સિદ્ધુએ કહ્યું કે આતંકવાદનું સ્થાયી સમાધાન શોધવું જોઇએ.
પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં હાજર થવા માટે પાકિસ્તાન પહોંચેલ સિદ્ધુએ જણાવ્યું કે આ આતંકી હુમલાનાં દોષીઓને સજા તો મળવી જોઇએ પરંતુ સાથે સાથે વાતચીત આંતરરાષ્ટ્રીય સમુદાયનાં દબાવનો ઉપયોગ કરીને આનું સમાધાન નિકળવું જોઇએ.
Navjot Singh Sidhu: It is condemnable it's a cowardly act. It needs a permanent solution through dialogue how long will the Jawans sacrifice their lives? How long will the bloodshed continue? People who do this must be punished. Hurling abuses won't help. #PulwamaAttackpic.twitter.com/R927il2bx1
સિદ્ધુએ કહ્યું કે આ મામલામાં ગાળો આપવી એ ઠીક નથી. તેઓએ જણાવ્યું કે "જુઓ ગાળો આપવાંથી કંઇ ઠીક નહીં થઇ જાય... ક્યાં સુધી આપણાં જવાન શહીદ થતાં રહેશે. ક્યાં સુધી આ ખૂની ખેલ ચાલતો રહેશે."