નેશનલ હેરાલ્ડ કેસની આંચ હવે કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગે સુધી પહોંચી ગઈ છે.
નેશનલ હેરાલ્ડ કેસની તપાસ દિગ્ગજ નેતા સુધી પહોંચી
કોંગ્રેસના સીનિયર નેતા ખડગે સાથે પૂછપરછ કરી
ઈડીએ સમન્સ મોકલી હાજર રહેવા જણાવ્યું
નેશનલ હેરાલ્ડ કેસની આંચ હવે કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગે સુધી પહોંચી ગઈ છે. ઈડીએ સોમવારે ખડગે સાથે પૂછપરછ કરી હતી. ઈડીએ તેમને સમન્સ જાહેર કરીને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર શરૂ થઈ હતી. તેમણે 2012માં કોર્ટ અરજી દાખલ કરીને કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, યંગ ઈંડિયા લિમિટેડ કંપની અંતર્ગત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડનું અધિગ્રણ કરી લીધું હતું.
કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ સુધી રેલો પહોંચ્યો
સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત નેતા મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સૈમ પિત્રોડા પર આરોપ લગાવ્યા હતા. તેમનો આરોપ હતો કે, યંગ ઈંડિયા લિમિટેડ દ્વારા ખોટી રીતે તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ નેતાઓએ 2000 કરોડ રૂપિયાની સુધીની સંપત્તિ હડપી લીધી હતી. આ મામલાની તપાસ 2014મનાં ઈડી તરફથી શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ આ મામલાને લઈને કહેતી આવી છે કે, યંગ ઈંડિયા લિમિટેડનો ઉદ્દેશ્ય પ્રોફિટ કમાવાનો નથી, પણ તેનું ગઠન ચેરિટી માટે કરવામાં આવ્યું છે.
જવાહર લાલ નહેરુએ કરી હતી સ્થાપના
તેમનો દાવો હતો કે, યંગ ઈંડિ્યા લિમિટેડને ખોટી રીતે નેશનલ હેરાલ્ડની સંપત્તિઓનું અધિગ્રહણ કરી લીધું છે. હકીકતમાં જોઈએ તો, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની જ નેશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરે છે. આ કંપનીની સ્થાપના દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ 1937માં કરી હતી. તેમણે પોતાની સાથે 5000 અન્ય સ્વતંત્રતા સેનાનીઓને પણ તેમાં સામેલ કર્યા હતા. આ અખબાર કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર રહ્યું છે. 2008માં 90 કરોડ રૂપિયાના દેવા કારણે આ અખબારને બંધ કરવું પડ્યું હતું.