ભરતસિંહ સોલંકી અમેરિકાથી પરત ફર્યા છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર માધવસિંહ સોલંકીને યાદ કરી ભરતસિંહ ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, મારા પિતાના દુઃખ અવસાન સ્વાભાવિક રીતે આજે હું જે કઈ પણ છું મારા પિતાના કારણે છું.
અમેરિકાથી પરત ફર્યા બાદ પિતા માધવસિંહના નિધન પર ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું. ભરતસિંહે કહ્યું, હું જે કઈ પણ છું તે મારા પિતાના કારણે છું. મારા પિતા ચટ્ટાનની જેમ મારી પડખે રહ્યા. ગુજરાત મારા પિતાને ખુબ સારી રીતે ઓળખે છે. જાહેર જીવનના છ દશકા એમને લોકોનો પ્રેમ સંપાદન કર્યો.
માધવસિંહે તેના શાસનમાં કરેલા કર્યો ભારતસિંહે યાદ કર્યા હતા. મધ્યાહન ભોજન, કન્યા કેળવણી અને ગુજરાતનો GDP-32 ટકા કરતા વધારે હોય. ગુજરાતીઓની માથાદીઠ આવક સમગ્ર દેશમાં સૌથી વધારે. ઔધોગિકકરણમાં ગુજરાત નંબર 1. આયોજન મંત્રી તરીકે હોય ત્યારે નર્મદા યોજનાની પર્યારવારણની મંજૂરી તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી પાસે અને જેના કારણે નર્મદા યોજનાનું કામ ઝડપથી શરુ થાય. બેરોજગારી ઓછામાં ઓછી ગુજરાતમાં હોય. રેકોર્ડબ્રેક 149 સીટ અપાવી.
ભરતસિંહે કહ્યું કે, એમના સમયમાં ગુજરાતનો સુંદર સુવર્ણ યોગ જોવા મળ્યો હતો. અમને અમારા પરિવારને ખુબ મોટી ખોટ પડી. સાથે હજારો લાખો લોકો હંમેશા તેમની તરફ આશાથી બેઠા હતા. ગાંધી-નેહરુ પરિવાર જોરદાર સમર્થક આજીવન રહ્યા. ઈન્દિરાજી અને રાજીવજી ખુબ લાગણી ધરાવતા હતા. અમને તેને આ નાતો વારસામાં આપ્યો.