મધ્યપ્રદેશની કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર શબ્દોનો અનર્થ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેનાથી દુષ્પ્રચાર થઈ રહ્યો છે. કમલનાથે રવિવારે રાતે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું કે ચૂંટણીમાં હજુ 15 દિવસ બાકી છે અને શબ્દોનો અર્થ બદલીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર મૂક્યો આરોપ
શબ્દોનો અર્થ બદલીને ચૂંટણી જીતવાની કોશિશઃ કમલનાથ
ચૂંટણીમાં હજી 15 દિવસનો સમય
કમલનાથે કહ્યું કે જનતા પૂછી રહી છે કે 2018ના દ્દષ્ટિપત્રમાં 10 લાખ નોકરીઓ આપવાનો વાયદો કરાયો હતો અને આ 7 મહિનામાં કેટલી નોકરીઓ આપવામાં આવી. જવાબના બદલામાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કમલનાથે આઈટમ કહ્યું. કમલનાથે કહ્યું કે હા મેં આઈટમ કહ્યું હતું કારણ કે આ કોઈ અસન્માનજનક શબ્દ નથી. હું પણ આઈટમ છું, તમે પણ આઈટમ છો, આ અર્થમાં આપણે સૌ આઈટમ છીએ.
કમલનાથે કર્યો આ દાવો
કમલનાથનો દાવો છે કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિને આઈટમ નંબર લખાય છે. ઈનામ વિતરણ કાર્યક્રમમાં પણ આઈટમ નંબર લખાય છે. તો શું તે અસન્માનજનક છે. મધ્યપ્રદેશની જનતા લોહીના ઘૂંટ પી રહી છે તો તેમના આંસૂ લૂસવાના બદલે તમારી પાર્ટી મારા કોક પીવાને મુદ્દો બનાવી રહી છે.
કમલનાથે જનતાની સુવિધાઓને લઈને કર્યા પ્રહાર
કમલનાથે કહ્યું કે આ કોઈ મુદ્દો થોડો છે. શું તેનાથી જનતાનું જીવન જોડાયેલું છે...તેઓએ કહ્યું કે એ તો કહો કે શું કમલનાથ કોક પીવાનું બંધ કરી દેશે તો મધ્યપ્રદેશમાં માફિયા રાજ રોકાઈ જશે. દુષ્કર્મ અટકી જશે. ખેડૂતોની આત્મહત્યા રોકાઈ જશે. કમલનાથે કહ્યું કે સહાનુભૂતિ અને દયા મેળવવાની કોશિશ એ લોકો કરે છે જેઓએ જનતાની સાથે દગો કર્યો હોય. જેની પાસે જનતાનો સામનો કરવાની સચ્ચાઈ ન હોય.
आज मन व्यथित है। मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री ने हमारी वर्तमान की मंत्री जिन्होंने वर्षों कांग्रेस की सेवा की, जो मजदूर से मंत्री पद तक पहुंची, उनके लिए अपमानजनक शब्दों का प्रयोग किया है : मध्य प्रदेश CM शिवराज सिंह चौहान, कमलनाथ द्वारा इमरती देवी के खिलाफ टिप्पणी पर pic.twitter.com/IgAqfWLCb8
ઉલ્લેખનીય છે કે રાજ્યની 28 વિધાનસભા સીટ માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. ઈમરતી દેવીની વિરુદ્ધ ડબરા સીટની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પ્રત્યાશી સુરેશ રાજે માટે પ્રચાર કરી રહેલા કમલનાથે રવિવારે કહ્યું કે ડબરાથી સુરેશ રાજેજી અમારા ઉમેદવાર છે. તે સરળ અને સીધા છે. તે તેમના જેવા નથી... શું છે તેનું નામ..આ સમયે જનતામાંથી જોર જોરથી ઈમરતી દેવી ઈમરતી દેવીના સૂત્રોચ્ચાર થવા લાગ્યા.
આ પછી કમલનાથે હસીને કહ્યું કે હું શું નામ લઉં તમે સૌ સારી રીતે જાણો જ છો. તમારે મને પહેલાંથી સાવધાન કરવાની જરૂર હતી. આ શું આઈટમ છે અહીં પર હાજર જનતાએ તાળીઓ વગાડી. કમલનાથ હસીને મંચથી રીપિટ કરી રહ્યા હતા. આ શું આઈટમ છે. સુરેશ રાજેજીનો સાથ આપજો.