ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે. પ્રદેશ નેતાગીરીથી કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીએ નારાજગી વ્યક્ત કરી છે. ભીખા જોશીએ જૂનાગઢ શહેર પ્રમુખના રાજીનામાને લઇ દુઃખ વ્યક્ત કરતા પ્રદેશ નિરીક્ષકો સામે સવાલો ઉઠાવ્યા છે.
ગઇકાલે શહેર પ્રમુખે આપ્યું છે રાજીનામું
ઉલ્લેખનીય છે કે, ગતરોજ કોંગ્રેસના શહેર પ્રમખ વિનુ અમીપરાએ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું છે. વિનુ અમીપરાનો આક્ષેપ છે કે, પ્રદેશના નેતાઓ સતત અવગણના કરી રહ્યા છે. જેને લઈને તેમણે શહેર પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ ધારાસભ્ય ભીખા જોશીની નારાજગીથી રાજકારણ ગરમાયું છે.
ટૂંક સમયમાં યોજાવાની છે જૂનાગઢ મનપાની ચૂંટણી
મહત્વનું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ, કોગ્રેસ બાદ હવે એનસીપી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે. એનસીપી ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ટ કાર્યકરોને ટિકિટ આપશે. જૂનાગઢ પાલિકાના કુલ 15 વોર્ડની 60 બેઠકો છે જેમાં હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે.
શહેરના મેયર પદ માટે ચાલી રહી છે નામની ચર્ચા
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી રાજ્યમાં જૂનાગઢ મહાનારપાલિકા ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે , તા. 21 જુલાઈએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી માં મતદાન થશે , હતાશામાંથી બહાર આવવા માંથી રહેલી કોંગ્રેસ નેતાગીરી એ જૂનાગઢ પાલિકાના જંગમાં જૂનાગઢ ના ધારાસભ્યં ભીખાભાઇ જોષી ને મેયરપદ ના ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું છે.