લાલકૃષ્ણ અડવાણીએ ન્યૂયોર્કમાં નેહરૂની કરી હતી પ્રશંસા
અમેરિકાએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં નેહરૂ અને ગાંધીજીને યાદ કર્યા
જયરામ રમેશે ટ્વિટ કરી કહ્યું, 'મને યાદ છે જ્યારે કેટલાક વર્ષ પહેલા લાલકૃષ્ણ અડવાણીએ ન્યૂયોર્કમાં આપવામાં આવેલા ભાષણમાં પંડિત જવાહર લાલ નહેરુની પ્રશંસા કરી હતી. વાજપેયી દ્વારા નેહરૂને યાદ કરવા પણ શાનદાર હતા.' એમણે કહ્યું, 'મને એ વાતની ખુશી છે કે અમેરિકી પ્રતિનિધિ સભાના બહુમત પક્ષના નેતા દ્વારા પ્રધાનમંત્રી મોદી વડાપ્રધાન મોદીને પંડિત જવાહર લાલ નેહરૂના યોગદાનની યાદ અમેરિકામાં આપવામાં આવી.'
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'મોદીજી માટે આ બિલકુલ અનઅપેક્ષિત હતું. નેહરુજી અને ગાંધીજીની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ સમયે તેમના હાવ-ભાવ જોવા લાયક હતા.'
નોંધનીય છે કે, હોએરે રવિવારે હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં કહ્યું કે અમેરિકાની જેમ ભારતે પોતાની પ્રાચીન પરંપરાઓને ગાંધીના પાઠ અને નેહરૂના દ્રષ્ટિકોણના માધ્યમથી ખુદને એક સુરક્ષિત લોકતંત્ર બનાવી રાખ્યું છે. એમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં બહુમતી અને પ્રત્યેક ભારતીયોના માનવાધિકાર સુરક્ષિત છે.