કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપ્યુ; આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની તેમણે જાહેરાત કરી છે
કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર રાજ્યગુરૂ નહીં લડે ચૂંટણી
મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી: ઇન્દ્રનીલ
"સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું"
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. ચૂંટણી નજીક રાજકીય પહલચહલનો ધમધમાટા શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે 43 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તો ભાજપના ઉમેદવારોની યાદીને આખરી મ્હોર આપવા માટે દિલ્હી મોકલવામાં આવી દીધી છે. ત્યારે ક્યાં દિગ્ગજ નેતા ક્યાંથી લડશે અને કોની કોની વચ્ચે જંગ જામશે તેને લઈ અનેત તર્ક વિતર્ક પણ શરૂ થયાં છે. ચૂંટણી નજીક આવતા સોફે બાજી માટે કેટલાક નેતાઓ પક્ષપલટાની ગુલાટ મારવાનો પણ શરૂ કરી દીધો છે. આ બધાની વચ્ચે ચાર મહિના પહેલા આપમાં જોડાયેલા અને ફરી આપને બાય બાય કઈ કોંગ્રેસમાં ઘરવાસી કરેલા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર રાજ્યગુરૂ નહીં લડે ચૂંટણી
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. તમને જણાવી દઈએ કે, રાજકોટની બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રનીલનું નામ ચર્ચામાં હતુ. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જણાવ્યું હતું કે, મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી અને સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. તેમણે કહ્યું કે, હું આજીવન કોંગ્રેસ ની સેવા કરતો રહીશ અને મને પક્ષ જે કામ સોંપશે એ કાર્ય કરીશ તેમણે જણાવ્યું હતું કે, મારે ચૂંટણી લડવી નથી અને હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ.
AAP-કોંગ્રેસમાં ભાગમભાગ કરી
ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીનો અપ્રિલમાં જ ખેસ ધારણ કર્યો હતો જ્યારે તેઓ નવેમ્બરમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં છે. તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા તેમણે જણાવ્યું કે, જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.