રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરી શકે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોએ હોટેલમાં મિટિંગ યોજી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના માર્ગદર્શન અને દિશા નિર્દેશથી સમર્થકોની મિટિંગ યોજાઈ હતી.
જાહેર જીવનમાં સક્રિય થવાના નામે સમર્થકોએ મિટિંગ યોજી હતી. હાલ ઈન્દ્રનીલ રાજ્યગુરુ અમેરિકામાં છે.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ રાજ્યગુરુએ પ્રેસર ટેક્નિક અપનાવી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં 17 કોર્પોરેટરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.
મહત્વનું છે કે કોંગ્રેસના પીઢ નેતા અને સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે CM રૂપાણીની સામે રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા.
તેઓએ થોડા દિવસો અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપવા અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવેલ કે કોંગ્રેસમાં જૂથ બંધી ચાલતી આવે છે. પરંતુ હાલ એવા સંકેતો મળી રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં પરત ફરી શકે છે. ત્યારે હાલ જોવાનું રહ્યું કે શું ઇન્દ્રનીલ ફરી 'પંજા'નો સાથ આપશે?