ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે આપ્યું રાજીનામું
કોંગ્રેસમાં અવગણનાના કારણે આપ્યું રાજીનામું
AICCના સેક્રેટરી પદેથી પણ આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશું વ્યાસે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Himanshu Vyas, Secretary, Incharge of Indian Overseas Congress resigns from his post and party's primary membership. pic.twitter.com/Cuo3OEd1EI
કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસનું રાજીનામું
કોંગ્રેસ દ્વારા ગતમોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. તેઓએ AICCના સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપ્યું છે. તેઓએ કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપ્યુું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
બે વખત ભાજપના ઉમેદવાર સામે થયો પરાજય
હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. તેઓને કોંગ્રેસ દ્વારા બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે, બંન્ને વખત તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
કોણ છે હિમાંશુ વ્યાસ?
- ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે હિમાંશુ વ્યાસ
- AICCના સેક્રેટરી પદે પણ હિમાંશુ વ્યાજે નિભાવી ફરજ
- કોંગ્રેસે 2 વખત હિમાંશુ વ્યાસને આપી હતી ટિકિટ
- સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી કોંગ્રેસે બે વખત આપી હતી ટિકિટ
- બન્ને વખત ભાજપના ઉમેદવાર સામે થયો પરાજય
- હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે