પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંઘ સિદ્ધુ વચ્ચે સુલેહ કરવા જતાં કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પોતે જ એક મોટી ભૂલ કરી બેઠા હતા અને વિવાદમાં ફસાયા હતા.
પંજાબમાં છેલ્લા ઘણા સમયથી CM કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે. આ મામલે તેમના વચ્ચે સુલેહ કરાવવા માટે કોંગ્રેસનાં પ્રભારી અને ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની મદદ લેવામાં આવી રહી છે.
પરંતુ એવું લાગે છે કે બે લોકો વચ્ચે સુલેહ કરાવવા જતાં હરીશ રાવત પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બે ને સમજાવવા જતાં તેઓ પોતે જ વિવાદોમાં ફસાઈ ગયા હતા. તેમણે પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને તેમના ચાર કર્મચારીઓની તુલના શીખ ધર્મના મહાન ''પંજ પ્યારો'' સાથે કરી દીધી હતી. અકાલી દળ તરફથી પણ હરીશ રાવત પર શીખ ધર્મનાં અનુયાયીઓને ઠેસ પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. આખરે વિવાદ વધતો જોઈને હરીશ રાવતે થોડા જ કલાકોની અંદર અંદર માફી માંગી લીધી હતી.
માફી માંગતા હરીશ રાવતે શું લખ્યું
વિવાદ થયા બાદ માફી માંગતા હરીશ રાવતે લખ્યું હતું કે, ''ક્યારેક તમે આદર વ્યક્ત કરતાં કરતાં પણ એવા શબ્દોનો ઉપયોગ કરી દો છો કે જે આપત્તિજનક હોય! મારાથી પણ કાલે પોતાના માનનીય અધ્યક્ષ અને તેમના ચાર કાર્યકારી અધ્યક્ષો માટે પંજ પ્યારે કહેવાઈ ગયું હતું. આ મારી ભૂલ હતી હું આ દેશનો ઇતિહાસનો વિદ્યાર્થી છું અને પંજ પ્યારોનાં અગ્રણી સ્થાનની કોઈ અન્ય સાથે તુલના કરી ન શકાય એ જાણું છું મારી આ ભૂલ માટે મી જે લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તે તમામની હું માફી માંગુ છું. હું પ્રયશ્ચિત સ્વરૂપે માફી ચાહું છું.''
कभी आप आदर व्यक्त करते हुये, कुछ ऐसे शब्दों का उपयोग कर देते हैं जो आपत्तिजनक होते हैं। मुझसे भी कल अपने माननीय अध्यक्ष व चार कार्यकारी अध्यक्षों के लिए पंज प्यारे शब्द का उपयोग करने की गलती हुई है। मैं देश के इतिहास का विद्यार्थी हूंँ और पंज प्यारों के ....1/2 pic.twitter.com/63RLnF4L0U
ધાર્મિક અને રાજનૈતિક વિવાદ
પંજાબ કોંગ્રેસમાં ઘણા સમયથી ચાલી રહેલો સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ વચ્ચેના વિવાદને સોલ્વ કરવા માટે કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતની મદદ લેવામાં આવી રહી છે. તેઓ મંગળવારે ચંડીગઢ ગયા હતા અને વિવાદનો તો અંત ન્હોતો આવ્યો પણ એટલામાં એક નવો જ બિનજરૂરી વિવાદ ઊભો થઈ ગયો હતો. આ વિવાદ ધાર્મિક અને રાજનૈતિક સ્વરૂપ લઈ લે એ પહેલા જ રાવતે માફી માંગી લેવાનું મુનાસિબ સમજ્યું હતું.
શું છે પંજ પ્યારો?
ગુરુ ગોવિંદ સિંઘે જ્યારે શીખ ધર્મની શરૂઆત કરી હતી ત્યારે તેમણે પંજ પ્યારો એટલે કે પાંચ લોકોને સિલેકટ કર્યા હતા. જે લોકો ગુરુ અને ધર્મ માટે કંઇ પણ કરી શકે અને જરૂર પડ્યે જીવ પણ આપી દે. બસ ત્યાર પછીથી એ પરંપરા રહી છે કે જ્યારે પણ શીખોની કોઈ યાત્રા, નગર- કીર્તન કે ધાર્મિક કાર્યક્રમ હોય છે ત્યારે પંજ પ્યારો તેનું નેતૃત્વ કરે છે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
અગાઉ એક ઘટનાના કારણે સિદ્ધુની મુશ્કેલીમાં વધારો થયો હતો.પંજાબમાં કોંગ્રેસના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુના સલાહકારોની કોમેન્ટ્સથી નેશનલ લેવલે વિરોધીઓના નિશાન પર આવી ગયેલી કોંગ્રેસના હાઇકમાન્ડે હવે પોતાનો પાવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે પંજાબના મામલે પ્રભારી હરીશ રાવતે હાઇકમાન્ડના નિર્દેશ અનુસાર અમલ કરતાં નવજોત સિંહ સિદ્ધુ ને કહી દીધું હતું કે તેઓ પોતાના સલાહકારોને હટાવી દે.