કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું, મહામારીમાં તમામ લોકોએ સાથે મળી કામ કરવું પડશે, લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચાર
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે CM રૂપાણીને લખ્યો પત્ર
કોંગ્રેસના તમામ લોકોને કોરોનાની સેવામાં જોડવાની અપીલ
હાર્દિકે કહ્યું, અભિમાન છોડો અને જનતાનું વિચારો
ગુજરાતમાં કોરોના મહામારીએ સૌ કોઈને હચમચાવી દીધા છે. તેવા સમયમાં વિપક્ષી રાજનેતાઓ પણ વ્યવસ્થાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એક ટ્વીટ દ્વારા પોતાની મદદ રજૂ કરી છે. હાર્દિક પટેલે કહ્યું, મુખ્યમંત્રી વિજય રૂપાણી અમે તમારી પાસે ગુજરાતની જનતાને બચાવવા અને મદદ કરવા માટે વિનંતી કરીએ છીએ. રાજ્યમાં કોંગ્રેસના 65 ધારાસભ્ય છે. અને તમે અમને પણ કાર્ય સોંપી શકો છો. જેથી જનપ્રતિનિધિ લોકોની મદદ કરી શકે છે. આ મહામારીમાં તમામ લોકોએ સાથે મળી કામ કરવું પડશે. લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો.
અમિત ચાવડાએ પણ સરકારને કરી અપીલ
હાર્દિક પટેલની સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાથે ગઈકાલે કોંગ્રેસ દ્વારા એક જાહેર નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે. પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ કહ્યું, અમે તમારી સાથે જ છીએ. લોકોના જીવ બચાવવાના પક્ષા-પક્ષીથી ઉપર રહી કામ કરતા આવ્યા છીએ. અને કરતા રહેશું. અને આવા સમયે સરકારે સર્વદળની એક બેઠક બોલાવાની અપીલ કરી હતી.
અમિત ચાવડાએ કહ્યું કે, અમે સરકારને પત્ર લખીને અપીલ કરી છે કે, 10 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન કોંગ્રેસને આપવામાં આવે. જેથી ગુજરાતમાં જરૂરીયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડી શકાય. લોકોના જીવ બચાવવા અમે પક્ષથી ઉપર રહીને કામ કરીએ છીએ. અને કરતા રહીશું.