ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. 8 લાખ લોકોના સેમ્પલથી દેશભરના મતદોનો મૂડ ના જાણી શકાય. મારા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની સરકાર નહીં બને. ગુજરાતમાં કોંગ્રેસની 8થી 10 સીટ આવી રહી છે.
એક્ઝિટ પોલ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન
એગ્ઝિટ પોલ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક્ઝિટ પોલના તારણો સાચા નથી પડતા. આ વખતે કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે. ગ્રાઉન્ડ લેવલ પર લોકોની સરકાર સામે નારાજગી હતી.
એક્ઝિટ પોલ મામલે ભરતસિંહનું નિવેદન
લોકસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. જેમાં NDA સરકારને બહુમતિ મળતી નજરે પડી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક્ઝિટ પોલને ફેલ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યમાં ચૂંટણી વખતે એક્ઝિટ પોલના આંકડા ફેલ ગયા હતા. ત્યારે આ વખતે કેન્દ્રમાં UPAની સરકાર બનવાનો દાવો કર્યો છે. સાથે જ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠક પર જીત મેળવશે.
એક્ઝિટ પોલ મામલે અમિત ચાવડાનું નિવેદન
તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે 2004માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. તે આ વખતે પણ રિપીટ થશે. ગુજરાતમાં 10થી વધુ બેઠક મળશે તેવો દાવો કર્યો છે. સાથે જ કહ્યું કે કેન્દ્રમાં રાહુલ ગાંધીની મહેનત રંગ લાવશે. કોંગ્રેસને બહુમતિ મળશે.
એક્ઝિટ પોલ પર DyCM નીતિન પટેલનું નિવેદન
એક્ઝિટ પોલને લઇ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી થઇ ત્યારથી જ ચર્ચા હતી કે મોદી PM બનશે. મોટા ભાગના સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે ત્યારે એક્ઝિટ પોલ કરતા પણ વધુ સારા પરિણામ મળશે. દેશની જનતાએ નક્કી કર્યુ છે કે મોદી સરકાર સૌથી મજબૂત સરકાર છે. અમે અમારા 5 વર્ષના કામગીરીનો હિસાબ પ્રજાને આપ્યો હતો.