કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં 72 વર્ષની ઉંમરે રાતે 1.30 વાગે તેમનું નિધન થયું છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી એકે વાલિયાનું થયું નિધન
દિલ્હીની અપોલો હોસ્પિટલમાં થયું નિધન
કોરોના સામે લડી રહ્યા હતા લડાઈ
દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. 72 વર્ષની વયે એકે વાલિયાનું દિલ્હીની અપોલો હોસ્પિટલમાં મોડી રાતે 1.30 મિનિટે નિધન થયું છે. તેઓ છેલ્લા 3 દિવસથી કોરોના સામે લડાઈ લડી રહ્યા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વિટ કરી
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વિટ કરીને કહ્યું છે કે અપાર દુઃખ સાથે સૂચિત કરી રહ્યા છીએ કે અમારા દિલ્હી કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી એકે વાલિયાનું આજે 22 એપ્રિલે કોરોનાની બીમારીના કારણએ અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે.
Senior Congress leader and former Delhi minister Dr AK Walia passes away due to #COVID19, at Apollo Hospital in Delhi.
દિલ્હીમાં વકરી રહ્યો છે કોરોના
દિલ્હીમાં બુધવારે કોરોના સંક્રમણના કારણે 24638 નવા કેસ આવ્યા છે અને સંક્રમિતની સંખ્યા વધીને 930179 થઈ છે. 249 દર્દીના મોત થયા બાદ કોરોના મહામારીથી મોતની સંખ્યા પણ વધી છે. હાલમાં દિલ્હીમાં સંક્રમણનો દર 31.28 ટકા છે.
दिल्ली में पिछले 24 घंटों में 24,638 नए #COVID19 मामले, 24,600 रिकवरी और 249 मौतें दर्ज़ की गई।
સ્વાસ્થ્ય વિભાગે પણ જાહેર કર્યા આંકડા
સ્વાસ્થ્ય વિભાગના અનુસાર દિલ્હીમાં અત્યાર સુધીમાં 8.31 લાખ લોકો સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 85364 છે. દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સીજનની અછત છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તરત હોસ્પિટલમાં ઓક્સીજન પહોંચાડવાના આદેશ આપ્યા છે.