એક સભામાં દિગ્વિજયસિંહે પોતાની નર્મદા પરિક્રમાની ઘટના શેર કરી હતી. આ દરમિયાન તેમણે ગૃહમંત્રીના વખાણ કરતા કહ્યું કે તેઓ તેમને ક્યારેય મળ્યા પણ નથી છતા તેમણે મારી મદદ કરી હતી.
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કર્યા અમિત શાહના વખાણ
નર્મદા પરિક્રમા દરમિયાન બનેલી ઘટનાનો કર્યો ઉલ્લેખ
પોતોના અનુભવો પર આધારિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કર્યા વખાણ
પોતાના અનુભવો પર આધારિત એક પુસ્તકના વિમોચન સમયે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, નર્મદા યાત્રા દરમિયાન એક વખત અમે રાત્રે 10:30 વાગ્યે ગુજરાત પહોંચ્યા. ત્યાં જંગલ વિસ્તાર હતો અને ત્યાંથી આગળ કોઇ રસ્તો નહોતો અને રાત્રી રોકાણ કરવાની પણ કોઇ સુવિધા પણ નહોતી. આ વચ્ચે ફૉરેસ્ટ અધિકારી આવ્યા અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મને જણાવવામાં આવ્યું કે અમિત શાહે તેમને તમારી સાથે સંપૂર્ણ સહયોગ કરવાના આદેશ આપ્યા હતા.
#WATCH | Once, we reached Gujarat at 10:30 pm. There was no way ahead through forested area&no facility for an overnight stay. A forest officer arrived& you'll be surprised to know that he told me that Amit Shah had directed him to fully cooperate with us: Digvijaya Singh,Cong pic.twitter.com/9wa5umk0nk
વધુમાં દિગ્વિજયસિંહે કહ્યું કે, અધિકારીએ જણાવ્યું હતું કે, અમને અમિત શાહના આદેશ છે કે દિગ્વિજસિંહજીની નર્મદા પરિક્રમા દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. તેમને કોઇ તકલીફ ન થાય. આ પ્રકારે નર્મદા પરિક્રમાના પડાવ દરમિયાન RSSના કાર્યકર્તાઓએ પણ અમારી મદદ કરી. તેવામાં હું હંમેશાથી સંઘનો આલોચક રહ્યો છું, છતા પણ તેમણે અમારી મદદ કરી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તે સમયે ત્યાં ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી હતી. દિગ્વિજયસિંહ તેમના સૌથી મોટા આલોચક છે. છતા પણ તેમણે અમારી મદદ કરી. તેમણે કહ્યું કે, અધિકારીઓએ પહાડોનો રસ્તો કાપી. અમારા તમામ સાથીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી.
દિગ્વિજય સિંહે કહ્યું કે, તેમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજસુધી અમિત શાહ સાથે મારી વન-ટુ-વન મુલાકાત પણ નથી થઇ. તેમ છતા તેમણે અમારી મદદ કરી. તેમણે કહ્યું કે, આ રાજકીય શુદ્ધતા, સંકલન, સંપ અને મિત્રતાનો પુરાવો છે, જેને આપણે લોકો ક્યારેક ક્યારેક ભૂલી જઈએ છીએ.