પેગાસસ ફોન ટેપીંગ મામલે કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે તેમણે એવો સવાલ કર્યો છે કે કેન્દ્રીય મંત્રીઓની જાસૂસી શા માટે કરવામાં આવી ?
પેગાસસ ફોન ટેપીંગ મામલે રાજકારણમાં ગરમાવો
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રીની જાસૂસી મામલે ઉઠાવ્યા સવાલો
પેગાસસ ફોન ટેપીંગ મામલે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા તપાસની માગ કરવામાં આવી રહી છે. તેવામાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ સમગ્ર મામલે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રહાર કર્યા છે.
केंद्रीय मंत्री प्रल्हाद पटेल जी की जासूसी केंद्र सरकार की मोदीशाह जोड़ी करवा रही थी। यह बात कुछ समझ में नहीं आई।
क्या इसरायली कम्पनी NSO ने पेगेसस स्पायवेर मध्यप्रदेश में भाजपा की मामू सरकार को भी बेचा है?
દિગ્વિજય સિંહનું કહેવું છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રીઓની જાસૂસી કરતા હતા. તે વાત હજુ સુધી સમજમા નથી આવતી. ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે એવું પણ કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની જાસૂસી કેન્દ્ર સરકાર કરવી રહી હતી. પરંતું આવું શા માટે તેમણે કર્યું તે વાત સમજમાં નથી આવતી.
2013માં ટ્વીટ કરી હતી તેનો ઉલ્લેખ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું કે ઈઝરાયેલની NSO કંપનીએ પેગાસસ સ્પાયવેર મધ્યપ્રદેશની મામૂ સરકારને પણ વેચ્યું છે. દિગ્વિજય સિંહે વધુમાં 2013માં વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કર્યું હતું તે ટ્વીટનો ઉલ્લેખ પણ કર્યો. જે ટ્વીટમાં તે સમયે વડાપ્રધાને એવું કહ્યું હતું કે યુએસની સરકાર જાસૂસી કરી રહી છે. તેઓ તેમની એજન્સીઓ દ્વારા ગતિવીધીઓ પર નજર રાખી રહ્યા હતા.
રણદીપ સુરજેવાલના પ્રહાર
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધીત કરતા આરોપ લગાવ્યો કે મોદી સરકારે કર્ણાટકની ગંઠબંધન વાળી સરકારને પાડવા પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ કરીને લોકતંત્રની હત્યા કરી છે. તેમના આ ગંભીર આક્ષેપોને લઈને રાજકારણ ગરમાવો આવી ગયો છે.
વિપક્ષ નેતાઓ સામે ગંભીર આક્ષેપો
ઉલ્લેખનીય છે કે સુરજેવાલે જ્યારે આ ગંભીર આક્ષેપો કર્યા ત્યારે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જન ખડગે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને કર્ણાટક કમેટીના પ્રમુખ શિવકુમાર પણ હાજર હતા.