વડોદરાની મુલાકાતે આવેલા દિગ્વિજય સિંહે જમ્મૂ કશ્મીર મામલે નિવેદન આપ્યું કે. કાશ્મીર મુદ્દે મારી વાતને ધ્યાને લઈ સરકારે નેતાઓ સાથે વાતચીત શરૂ કરી તે બદલ PMનો આભારી છું
વડોદરાની મુલાકાતે દિગ્વિજયસિંહ
જમ્મૂ કશ્મીર મુદ્દે બોલ્યા દિગ્વિજયસિંહ
"કશ્મીરનો મુદ્દો સંવેદનશીલ છે"
કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વડોદરા ખાતે એક પારિવારી પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ કેટલાક મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં કાશ્મીર, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આમ આદમી પાર્ટી વિશે નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે જમ્મૂ કશ્મીર મામલે નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહે કે, કશ્મીર મુદ્દે સરકારે નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે. તે બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આભારી છીએ. તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કશ્મીરનો મુદ્દો સંવેદનશીલ છે, આથી કશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઇએ.