કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો છે કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઇનો કબ્જો નથી એ માત્ર નિવેદનબાજી છે. ચિદમ્બરમે કહ્યું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આકરણી કરી કે ચીનની સેના હજી પણ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાર ભારતની તરફ 1.5 કિલોમીટર અંદર ઘુસી ગઇ છે.
કેન્દ્ર સરકાર પર ચિદમ્બરમે કર્યો પલટવાર
1.5 કિમી અંદર હાજર છે ચીનની સેના
સરકાર સાચી વાસ્તવિકતાનો કરે સ્વીકાર
1.5 કિલોમીટર અંદર હાજર છે સેના
પૂર્વ ગૃહ મંત્રી ચિદમ્બરમે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભારત સરકાર દાવો કરી રહી છે આપણી જમીનને કોઇ પચાવી પાડી નથી, પરંતુ આ નિવેદનબાજી માત્ર ખોટી ગપ સાબિત થઇ. ચિદમ્બરમે ટ્વિટ કરીને લખ્યું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આકરણી કરી છે કે ચીનની સેના હાલમાં પણ LACની પાર ભારતીય સરહદમાં 1.5 કિલોમીટર અંદર ઘુસી ગઇ છે. મે મહિનામાં ચીનની સેના LAC પાર કરીને આપણી સરહદમાં પાંચ કિલોમીટર સુધી આવી ગઇ હતી.
भारतीय सुरक्षा एजेंसियों ने आकलन किया है कि चीनी सैनिक अभी भी 1.5 कि.मी. तक LAC के भारतीय क्षेत्र में (भारत की धारणा के अनुसार) हैं।
मई में, चीनी सैनिकों ने LAC के हमारी तरफ 5 किलोमीटर तक घुसपैठ किया था।
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે સરકારનો દાવો છે કે ભારતની સરહદ પર કોઇપણે અતિક્રમમ કર્યું નથી, એ માત્ર ને માત્ર નિવેદન હતા. રક્ષા મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ભારતની એક ઇંચ જમીનને કોઇ હાથ લગાવી શકતું નથી, આ તો વધુ ગેર જવાબદાર નિવેદન હતું.