પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીનું નામ નક્કી થયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડની મંજૂરી બાદ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં અને પ્રભારી હરીશ રાવતે તેમના નામની જાહેરાત કરી હતી.
ચરણજીત ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી
કોંગ્રેસ હાઈકમાન્ડે આપી લીલીઝંડી
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા
કોંગ્રેસના સિનિયર નેતા અને પંજાબ પ્રભારી હરીશ રાવતે મુખ્યમંત્રી તરીકે ચરણજીત ચન્નીના નામની જાહેરાત કરતા જણાવ્યું કે ચરણજીત ચન્નીની કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વાનુમતે વરણી કરાઈ છે. ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થયા બાદ ચરણજીત ચન્ની હરીશ રાવત સાથે રાજ્યપાલને મળ્યા હતા.
"Congress leader Charanjit Singh Channi to be new Punjab Chief Minister," tweets senior Congress leader Harish Rawat pic.twitter.com/tupj6XUzUu
પંજાબના મુખ્યમંત્રીનું નામ જાહેર કરીને કોંગ્રેસ હાઈકમાન્ડે મોટી સરપ્રાઈઝ આપી છે. ચરણજીત ચન્ની પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલતું હતું. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ સુખજિંદર સિંહ રંધાવાનું નામ પણ હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું. રંધાવાના નામની જાહેરાત થવાની બાકી જ હતી ત્યાં ફરી વાર પેચ ફસાયો હતો.
છેલ્લી ઘડી સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ ચર્ચાયું પણ વિરોધ થતા હાઈકમાન્ડે નિર્ણય બદલ્યો
પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી તરીકે સુખજિંદર સિંહ રંધાવાનો નામનો વિરોધ કર્યો હતો અને તેમણે ચરણજીત ચન્નીના નામની સૂચન કર્યું હતું. આ પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમની વચ્ચેની બેઠકમાં ચરણજીત ચન્નીના નામ પર મંજૂરીની મહોર વાગી હતી.
મુખ્યમંત્રી તરીકે ઘણા નામોની ચર્ચા ચાલી
અમરિન્દરના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે પહેલા સુનીલ જાખડ ત્યાર બાદ અંબિકા સોની અને પછી રંધાવાના નામની ચર્ચા ચાલી પણ છેલ્લી ઘડીએ ચન્નીને લોટરી લાગી હતી.
હાઈકમાન્ડનો આદેશ મળ્યા બાદ પંજાબ પ્રભારી અને સિનિયર નેતા હરીશ રાવતે મુખ્યમંત્રી તરીકે ચરણજીત ચન્નીના નામની જાહેરાત કરી હતી. હરીશ રાવતે ટ્વિટ કરીને જણાવ્યું કે ચરણજીત ચન્નીની ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વાનુમતે પસંદગી કરાઈ છે.
કોણ છે ચરણજીત ચન્ની
ચરણજીત ચન્ની અમરિન્દર સરકારમાં ટેકનીકલ એજ્યુકેશન મંત્રી હતા. નવા મુખ્યમંત્રી 2007 થી ચમકૌર બેઠકના ધારાસભ્ય છે અને નવા મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની અત્યંત નિકટના નેતા છે. તેઓ રામદાસિયા દલિત સમૂદાયમાંથી આવે છે. મુખ્યમંત્રી તરીકે ચરણજીત ચન્નીની પસંદગી થતા જ પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી મળ્યા છે.
પંજાબમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે કેપ્ટન અમરિન્દરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે મંત્રીમંડળ પણ રાજીનામું સોંપી દીધું હતું. ત્યાર બાદ કેપ્ટન સિદ્ધુ પર ગંભીર આરોપ કરીને તેમના પાકિસ્તાન પીએમ સાથે સંબંધો હોવાનું પણ જણાવ્યું હતું.
ચરણજીત સિંહ ચન્ની રાજ્યના પહેલા દલિત મુખ્યમંત્રી
49 વર્ષીય ચરણજીત સિંહ ચન્ની રામદાસિયા દલિત સમૂદાયમાંથી આવે છે. તેમના મુખ્યમંત્રી બનવાની સાથે જ પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી બન્યા છે. ચરણજીત સિંહ ચન્નીને રાજ્યના પહેલા દલિત મુખ્યમંત્રી બનવાનું બહુમાન મળ્યું છે.