કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે. તેમની સારવાર અમદાવાદની CIMS હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે ભરતસિંહ સોલંકીની તબિયત પર CIMS હોસ્પિટલે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ CMએ ભરતસિંહ સોલંકીના ખબર અંતર પૂછ્યા છે.
ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ભરતસિંહની ચાલી રહી છે સારવાર
ભરતસિંહ સોલંકીની તબિયત પર CIMS હોસ્પિટલનું નિવેદન
રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓ અહીં છેલ્લા એક સપ્તાહથી સારવાર લઇ રહ્યા છે. ત્યારે તેમની તબિયત પર CIMS હોસ્પિટલે નિવેદન આપ્યું હતું.
CIMS હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, ભરતસિંહને હાલમાં વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર ભરતસિંહની હાલત સ્થિર છે. મહત્વનું છે કે, ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 22 જૂનથી સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ખબર અંતર પૂછ્યા છે. તેમણ CIMS હોસ્પિટલના ડોક્ટર્સ સાથે આ અંગે ચર્ચા પણ કરી છે. યોગ્ય સારવાર અને સવલત માટે તેમણ ભલામણ કરી છે. કોરોના સંક્રમિત ધારાસભ્યો સાથે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે ગેનીબેન ઠાકોર અને જે. વી. ઝાલાવાડિયા સાથે વાત કરી છે.