કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશના નેતા પર સવાલો ઉભા થાય છે. જેને લઇને કોંગ્રેસ પ્રજા વચ્ચે જઇ નથી શકતી. ત્યારે કોંગ્રેસના ભરતસિંહ જ કોંગ્રેસની વિચારધારા પર સવાલ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. ભરતસિંહે સત્તા માટે મથતા લોકોને નિશાને લીધા છે. મહત્વનું છે કે, ભરતસિંહ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ રાજ્યમાં કોંગ્રેસ સત્તા સુધી નહોતી પહોંચી શકી. ત્યારે ભરતસિંહે સ્પષ્ટ નથી કર્યું કે તેમણે પ્રદેશલક્ષી નિવેદન આપ્યું કે કેન્દ્રલક્ષી...
કોંગ્રેસની વિચારધારા પર ભરતસિંહે ઉભા કર્યા સવાલ
કોંગ્રેસ હવે ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરી શકતી નથીઃ ભરતસિંહ
આપણી દિશા હવે સિદ્વાંતલક્ષીની જગ્યા સત્તાલક્ષી બની છેઃ ભરતસિંહ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ગાંધી પ્રાર્થના સભામાં કોંગ્રેસને અરીસો દેખાડ્યો હતો. ભરતસિંહે કહ્યું કે, કોંગ્રેસ ક્યાક પોતાની સાચી વિચારધારાથી ભટકી રહી છે. કોંગ્રેસ હવે ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરી શકતી નથી. આપણી દિશા હવે સિદ્વાંતલક્ષીની જગ્યાએ કદાચ સત્તાલક્ષી બની રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરીશું તો સત્તા મળીને જ રહેશે.
ભરતસિંહ સોલંકીએ આ દરમિયાન કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્વરૂપ સમગ્ર આસમાનમાં ફેલાય ગયેલું છે. સાચા અર્થમાં આપણે ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરીશું તો સત્તા પગમાં પડશે.
જો ગાંધીચિંધ્યા માર્ગે ન લડ્યા હોત તો આઝાદી ન મળી હોતઃ ભરતસિંહ
સત્ય અને અહિંસાના માર્ગે ગાંધીજીએ કામ કર્યું ન હોત તો? બળવો 57માં પણ થયો હતો, સ્વતંત્ર લડાઇ લડ્યા હતા, પરંતુ તે છતા પણ જીત્યા ન હતા. જો આપણે મહાત્મા ગાંધીની દિશા વગર શસ્ત્રોના માર્ગે લડાઇ લડ્યા હતો તો આજે પણ આપણે આઝાદી માટે લડતા હોત. આઝાદીના સંગ્રામમાં જેટલા લોકો માર્યા ગયા હતા એના કરતા જો શસ્ત્રોની લડાઇ લડી હોત તો વધારે લોકો માર્યા ગયા હોત.
દુનિયાના લોકોના પ્રશ્નો કેમ નથી ઘટતા?
વધુમાં તેમણે કહ્યું કે, દેશ-દુનિયામાં મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરૂદ્વારા વધી રહ્યા છે, કથાકારો વધી રહ્યા છે, ધર્મનો પ્રસાર પ્રચાર ખુબ થઇ રહ્યો છે, છતા દુનિયાને દેશના લોકોના પ્રશ્નો કેમ નથી ઘટતા? આના માટે મહાત્મા ગાંધીના રસ્તે કામ કરવું પડશે. વિશ્વના પ્રશ્નો ઉકેલવા હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે. આપણે સૌ સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે કામે લાગીએ...