ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ નેતા ભરત સોંલકીની પ્રતિક્રિયા સામે આવી
DyCM નીતિન પટેલના વિવાદિત નિવેદનનો મામલો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી
રાજ્યમાં વેક્સિનની અછત, ત્યારે વેક્સિન રીલિઝ કરાઈ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ નેતા ભરત સોંલકીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 2022માં ભાજપની હાર નિશ્વિત છે, નીતિન પટેલના વિવાદિત નિવેદનને લઈ તેમણે કહ્યું કે સત્તમાં હોવા છતા તેમને અત્યારે ચિંતા થઈ રહી છે.
DyCM બંધારણીય ફરજો અદા કરવા બંધાયેલા છેઃ ભરતસિંહ
કોંગ્રેસ નેતા ભરત સોંલકીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર પ્રહાર કરતા કહ્યું છે કે DyCM બંધારણીય ફરજો અદા કરવા બંધાયેલા છે ત્યારે બેફામ નિવેદન બાજી કરી રહ્યા છે હાલ તેમની સરકારનું શાસન ચાલી રહ્યું છે તો કેમ એમને ચિંતા સતાવી રહી છે, એટલું જ નહીં ભરત સોલંકીએ કહ્યું હતું કે તમામ સમાજ ધર્મના લોકોની મદદથી ભારત દેશને આઝાદી મળી છે. ત્યારે ગેરબંધારણીય નિવેદન સામે આવી રહ્યા છે. આમ 2022 ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત હોવાનું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
મનસુખ માંડવિયાએ વેક્સિન રીલિઝ કરી: ભરતસિંહ
વધુમાં ભરત સોલંકીએ કોરોના મુદ્દે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વેક્સિનનું અછત જોવા મળી રહી છે લોકોને પૂરતી વેક્સિન મળી રહી નથી ત્યારે મનસુખ માંડવિયા વેક્સિન રીલિઝ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતે દુનિયાને વેક્સિન પુરી પાડી છે.
ગુજરાતમાં કોરોનાની પુરતી વેક્સિન નથી: ભરતસિંહ
મહત્વનું છે કે આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે અંકલેશ્વર ખાતે ભારતબાયોટેકની કોવેક્સિનનો પ્રથમ જથ્થાને રીલિઝ કર્યો છે. ત્યારે તેમને કહ્યું હતું કે દેશમાં દર મહિલા 1 કરોડ વેક્સિન ઉપલબ્ધ બનશે અને અમદાવાદમાં 2 મહિનામાં અમદાવાદની કંપનીમાં પણ વેક્સિન બનતી થઈ જશે સાથે જ માંડવિયાએ ઝાયડસને પણ ત્રીજા ટેસ્ટની મંજૂરી અપાઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા ભરત સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પર વેક્સિન મુદ્દે પ્રહાર કર્યા હતા.