કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પક્ષમાં ખળભળાટ મચ્યો છે.
કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. આવામાં હાલ કોંગ્રેસ મોવડીમંડળ સહિત બીજા નેતાઓ ચિંતામાં પડ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં ત્યારે સ્થિતિ હાલ ગંભીર બની છે.
કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે ભરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પક્ષમાં ખળભળાટ મચ્યો છે. કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. આવામાં હાલ કોંગ્રેસ મોવડીમંડળ સહિત બીજા નેતાઓ ચિંતામાં પડ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં ત્યારે સ્થિતિ હાલ ગંભીર બની છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. સારવાર માટે વડોદરાની બૅન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પક્ષમાં ખળભળાટ મચ્યો છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં હતાં.@INCGujaratpic.twitter.com/Io4CFouL3G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2020
અન્ય નેતાઓ હતા સતત સંપર્કમાં
ત્યારે હવે કહેવાય છે કે ડોક્ટર્સની સલાહ પ્રમાણે અન્ય નેતાઓને પણ આઈસોલેટ તેમ જ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નજીકથી તેમની સાથે સતત સંપર્કમાં હતાં.
અગાઉ પણ કોંગ્રેસના નેતાઓને થઈ ચૂક્યો છે કોરોના
મહત્વનું છે કોંગ્રેસના મોટા નેતાઓ અગાઉ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે. જેમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હોય કે પછી કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેમાં બદરુદ્દીન શેખનું દુઃખદ નિધન પણ થયું હતું.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યના રાજકારણમાં ભુંકપ આવ્યો છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસ તરફથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર હતા. ચૂંટણી સમયે ભરતસિંહ કોંગ્રેસ સહિત અન્ય બીજા નેતાઓના સંપર્કમાં પણ આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યસભાની ચૂંટણી સમયે ચૂંટણી પંચના અધિકારીઓ હાજર હતા જ્યારે રાજ્ય સરકારના ગૃહમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ પણ હાજર હતાં.