ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર રહેલા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જને લઇને ભરતસિંહની સારવાર વડોદરામાં કરવામાં આવી રહી હતી. જો કે હાલ કોંગ્રેસ નેતા ભરતસિંહને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સારવાર માટે ભરતસિંહને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર રહેલા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યા હતા.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વડોદરા ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી. ત્યારે હાલ કોંગ્રેસ નેતાને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભરતસિંહને કોરોનાની સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી છેલ્લા અઠવાડિયાથી કોરોનાની સારવાર વડોદરા ખાતે લઇ રહ્યાં હતા. રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.