ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ખેડબ્રહ્માના કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલ અક્ષય તૃતીયાના દિવસે કરશે કેસરિયો ધારણ
ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ
ધારાસભ્ય અશ્વિન કોટવાલ જોડાશે ભાજપમાં
અક્ષય તૃતીયાના દિવસે કરશે કેસરિયો ધારણ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. જેની વચ્ચે કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ આગામી અક્ષય તૃતીયા દિવસે ભાજપમાં જોડાશે.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અક્ષય તૃતીયાના દિવસે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે.ગાંધીનગર કમલમ ખાતે અશ્વિન કોટવાલ સાથે કોંગ્રેસના કાર્યકરો પણ ભગવો ધારણ કરશો. આમ સાબરકાંઠામાં કોંગ્રેસને મોટો ફટકો પડવાની શક્યતા
કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.